લોનની મજબૂત માંગને પહોંચી વળવા બેન્કો FDના દરો વધારશે

લોનની મજબૂત માંગને પહોંચી વળવા બેન્કો FDના દરો વધારશે

બેન્ક એફડીના વ્યાજદરો હજુ વધી શકે છે. કેટલીક બેન્કોએ તેના સંકેત આપ્યા છે. અત્યારે બેન્કો ખાતાધારકોને 7-8% વ્યાજદર ઑફર કરે છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇના ચેરમેન દિનેશ કુમાર ખારાએ તાજેતરમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરતા કહ્યું કે અમારે ખાતાધારકોના હિતોને પણ ધ્યાનમાં રાખવાના હોય છે. છેલ્લા છ મહિનામાં અમે કેટલીક ટર્મ ડિપોઝિટના વ્યાજદરો વધાર્યા છે. આગળ પણ અમારી રણનીતિ આ જ રહેશે.

આ કારણસર બેન્કો એફડીના દરો વધારશે

  1. RBI બેન્કિંગ સિસ્ટમમાંથી સતત વધારાની રોકડ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે, પરિણામે બેન્કોનું ફોકસ વ્યાજદરો પર છે.
  2. ડિપૉઝિટ ગ્રોથ સતત લોન ગ્રોથથી ઓછો છે. 21 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં લોન ગ્રોથ 16%, જ્યારે ડિપોઝિટ ગ્રોથ 10.02% રહ્યો હતો.
  3. બેન્કોનો ક્રેડિટ-ટૂ-ડિપૉઝિટ રેશ્યો 21 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વધીને 75.7% થઇ ગયો છે.
  4. સરકારી, ખાનગી, શેડ્યૂલ્ડ કોમર્શિયલ બેન્કોના આઉટસ્ટેન્ડિંગ ડિપોઝિટ રેટ્સ અનુક્રમે 0.18%, 0.17% વધ્યા છે.

10% ગ્રોથ 15% ક્રેડિટ ગ્રોથ અપર્યાપ્ત
ક્રિસિલના ચીફ રેટિંગ્સ ઑફિસર કૃષ્ણન સીતારમને કહ્યું કે ડિપોઝિટના દર વધારવા માટે હજુ પણ અવકાશ છે. નવા નાણાકીય વર્ષમાં લોનની મજબૂત માંગ યથાવત્ રહેવાની આશા છે. આ દૃષ્ટિએ ડિપોઝિટ ગ્રોથમાં 10%ની વૃદ્ધિ અને 15% ક્રેડિટ ગ્રોથ પૂર્ણ કરવા માટે પર્યાપ્ત નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow