બેન્કોએ નવ વર્ષમાં 15 લાખ કરોડની લોન માંડવાળ કરી

બેન્કોએ નવ વર્ષમાં 15 લાખ કરોડની લોન માંડવાળ કરી

બેન્કોએ વર્ષ 2014-15થી શરૂ થતા નવ નાણાકીય વર્ષ દરમિયાન રૂ.14.56 લાખ કરોડની લોન માંડવાળ કરી છે. કુલ માંડવાળ કરાયેલી રૂ.14,56,226 કરોડની લોનમાંથી મોટા ઉદ્યોગો અને સર્વિસીઝની લોનની રકમ રૂ.7,40,968 કરોડ હતી. શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કે કુલ માંડવાળ થયેલી લોનમાંથી રૂ.2,04,668 કરોડની રિકવરી કરી છે, જેમાં એપ્રિલ 2014 થી માર્ચ 2023 સુધીમાં કોર્પોરેટ લોન્સનો પણ સમાવેશ થાય છે.

નાણા વર્ષ દરમિયાન માંડવાળ થયેલી લોનમાંથી નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન કુલ રૂ.1.18 લાખ કરોડની રકમની રિકવરી કરવામાં આવી હતી, જે આંક નાણાકીય વર્ષ 2021-22માં ઘટીને 0.91 લાખ કરોડ અને ત્યારબાદ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વધુ ઘટીને રૂ.0.84 લાખ કરોડ થઇ છે. ખાનગી ક્ષેત્રેની બેન્કો દ્વારા રૂ.73,803 કરોડની લોન નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન માંડવાળ કરા્ઇ હતી.

નાણાકીય વર્ષ 2017-18 અને નાણાકીય વર્ષ 2022-23માં ખાનગી ક્ષેત્રની બેન્કોમાં ઓપનિંગ ગ્રોસ લોન અને એડવાન્સની ટકાવારી અનુક્રમે 1.25 ટકા અને 1.57 ટકા હતી અને તે દરમિયાન PSBs માટે તે 2 ટકા અને 1.12 ટકા હતી. બેન્કિંગ સેક્ટરની NPA ઘટાડવા તેમજ રિકવરી માટે સરકાર અને RBI દ્વારા વ્યાપકપણે પગલાં લેવામાં આવ્યા છે. સરકારના પ્રયાસના કારણે જાહેર ક્ષેત્રની બેન્કોની ગ્રોસ એનપીએ 31 માર્ચ, 2023ના રોજ ઘટીને રૂ.4.28 લાખ કરોડ થઇ છે,

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow