બેન્કિંગ સેક્ટર : ભારતીય બેન્કોમાં 98% બચત

બેન્કિંગ સેક્ટર : ભારતીય બેન્કોમાં 98% બચત

અમેરિકામાં કેટલીક બેન્કોએ નાદારી નોંધાવ્યા બાદ હવે સામાન્ય લોકોની પરેસવાની કમાણીની સુરક્ષા લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સામાન્ય જનતા પણ પોતાની બેન્કોમાં રહેલી બચતને લઇને ચિંતિત છે ત્યારે રાહતની વાત એ છે કે ભારતીય બેન્કોમાં જમા રકમ અમેરિકાની તુલનામાં વધુ સુરક્ષિત છે.

રેમન્ડ જેમ્સ એન્ડ એસોસિએટ્સના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકાની ટોચની 10 બેન્કમાં જમા રકમ 38.4-66% એન્શ્યોર્ડ છે. તેની તુલનાએ ભારતની મોટી બેન્કોની 98% ડિપોઝિટ એકાઉન્ટ્સને વીમા સુરક્ષા મળી છે. ભારતીય બેન્કિંગ સેક્ટર કોરોના મહામારી બાદ ડિ-ગ્રોથ કરશે અને તેની અર્થતંત્ર પર મોટી અસર પડશે તેવા અહેવાલો હતા પરંતુ છેલ્લા બે વર્ષમાં આ સેક્ટરમાં ઝડપી ગ્રોથ રહ્યો છે એટલું જ નહિં બેન્કોની એનપીએ પણ ડબલ ડિજિટમાંથી ઘટીને અત્યારે માત્ર 1-4 ટકા સુધી જ સિમિત રહી ગઇ છે.

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીને ડામવા માટે સેન્ટ્રલ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલા વ્યાજદર વધારાની અસર ભારતીય બેન્કિંગ સેક્ટરને અસરકર્તા રહી નથી. બેન્કોમાં લોનની માગ વધવા સામે ડિપોઝિટ્સનું પ્રમાણ પણ વ્યાજ વધારાના કારણે વધી રહ્યું છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow