બાંગ્લાદેશની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં આગ

બાંગ્લાદેશની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં આગ

બાંગ્લાદેશની રાજધાની ઢાકાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કોરાઇલમાં મંગળવારે સાંજે એટલી ભયાનક આગ લાગી કે તેને ઓલવવામાં 16 કલાકથી વધુ સમય લાગ્યો. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ આગ રસોઈ બનાવતી વખતે એક સિલિન્ડર ફાટવાથી લાગી હતી.

બસતી સાંકડી હોવાને કારણે આગ ઝડપથી એકથી બીજા ઘર સુધી ફેલાઈ. પાતળી ગલીઓના કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ અંદર સુધી પહોંચી શકી નહીં. જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં વિલંબ થયો.

ફાયર બ્રિગેડના અધિકારી રાશેદ બિન ખાલિદે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે મંગળવારે સાંજે શરૂ થયેલી આગ પર બુધવારે બપોર પછી કાબૂ મેળવવામાં આવ્યો. આ આગે 1500 ઘરોને બાળીને રાખ કરી દીધા. જેના કારણે હજારો લોકો બેઘર બન્યા છે.

ત્યાં, ગર્ભવતી મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકોએ ઠંડીમાં રાત વિતાવી. કોરાઇલ વસાહત 160 એકરમાં ફેલાયેલી છે. અહીં લગભગ 80 હજાર લોકો રહે છે. ઘાયલો અને મૃતકોની માહિતી હજુ સામે આવી નથી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow