કોર્પોરેટ જ નહીં લીડર્સ પણ તૈયાર કરી રહી છે બી-સ્કૂલ

કોર્પોરેટ જ નહીં લીડર્સ પણ તૈયાર કરી રહી છે બી-સ્કૂલ

મહારાષ્ટ્રના લવલે ગામમાં તાજેતરમાં જ કેટલાક વિદ્યાર્થીઓ નાટક દ્વારા ગામના લોકોની સમસ્યાઓને સમજીને તેમનું સમાધાન શોધી રહ્યા હતા. આ કોઈ કલા સંસ્થાના વિદ્યાર્થીઓ ન હતા, પરંતુ ભવિષ્યના કોર્પોરેટ લીડર છે. જેમને સમાજની વાસ્તવિકતાઓનો પરિચય કરવવા અને તેનો ઉકેલ શોધવા જવાબદારી અપાઈ છે.

પુણે ખાતેની સિમ્બાયોસિસ સંસ્થાની આજુબાજુના 14 ગામમાં મેનેજમેન્ટ અને બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ દર પંદર દિવસે આ પ્રકારની વ્યવહારિક ગતિવિધિઓ દ્વારા શીખીને સમજણ વધારે છે. સ્ટૂડન્ટ કાઉન્સિલ આ પ્રકારની માર્ગદર્શન શિબિરનું આયોજન કરે છે. એકવાર સમસ્યા સમજાઈ જાય તો તેના સમાધાન મળવાનું શરૂ થઈ જાય છે. પછી તે સમસ્યા ખેતી, વીજળી, પાણી, આરોગ્ય, સડક, સ્કૂલ સાથે સંબંધિત જ કેમ ન હોય, પ્રત્યેક સમસ્યા પર ગંભીર ચિંતન કરવામાં આવે છે. સમાધાન શોધવા માટે વિદ્યાર્થીઓ સમુહમાં કામ કરે છે.

આઈઆઈએમ-અમદાવાદમાં એસોસિએટ પ્રોફેસર વિશાલ ગુપ્તા કહે છે, ‘મેન્ટલ હેલ્થ અને વેલ બીઈંગ બી-સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ કોર્પોરેટ વર્લ્ડ માટે પણ મોટો મુદ્દો છે. જોકે, મેનેજમેન્ટ સંસ્થા વિદ્યાર્થીઓની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્ણ વિશ્વાસ સાથે જીવન જીવવા માટે તૈયાર કરે છે. આઈઆઈએમ-એ દ્વારા તાજેતરમાં જ HEAL શીર્ષક સાથેનો કોર્સ શરૂ કરાયો છે.જેના હેઠળ અમે માઈડફૂલનેસ અને વિચારોના મેનેજમેન્ટ માટે તાલીમ આપીએ છીએ. તેમને પોતાના અંગે સકારાત્મક વિચારવાનું અને ક્ષમતા પર વિશ્વાસ મૂકવાનું શીખવાડીએ છીએ. તેમને પ્રેરિત કરીએ છીએ, જેથી તેઓ પોતાની શક્તિને ઓળખે. અમારા મતે જો પોતાનામાં સુધારાની ક્ષમતા વિકસાવીએ તો ખુશ થઈ શકીએ છીએ.

મેનેજમેન્ટ ફીલ્ડમાં પણ સંવેદનશીલતા મહત્ત્વની
સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. આર. રમન કહે છે કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે માત્ર ટેક્નોક્રેટ બનાવ્યા છે. હવે સંવેદનશીલ બનવું પણ મેનેજમેન્ટ ફીલ્ડમાં જરૂરી બની ગયું છે.’

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow