ગુલમર્ગમાં હિમસ્ખલન, બે વિદેશી પ્રવાસીનાં મોત, 19ને બચાવાયા

ગુલમર્ગમાં હિમસ્ખલન, બે વિદેશી પ્રવાસીનાં મોત, 19ને બચાવાયા

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બુધવારે હિમસ્ખલનને કારણે બે વિદેશી પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે અફરવાટ શિખરના હાપતખુદ કાંગડોરીમાં બપોરે 12.30 વાગ્યે બરફની 20 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડી હતી. પોલેન્ડના 12 અને રશિયાના આઠ પ્રવાસી સહિત બે સ્થાનિક ગાઇડ હિમસ્ખલનમાં ફસાયા હતા. બન્ને મૃતક પોલેન્ડના છે. પોલીસના મતે, તેમને બચાવવા 14 હજાર ફૂટ ઊંચાઈની કેબલ કારનો ઉપયોગ કરાયો હતો. રેસ્ક્યૂ ઓપરેશનમાં 19ને બચાવાયા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર બે દિવસ પહેલા ભારે હિમપ્રપાત બાદ વિસ્તારમાં હિમસ્ખલનની આશંકાને કારણે બંધ જાહેર કરાયો હતો. હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં 29 અને 30 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થઈ હતી.

આજે વરસાદની આગાહી, ઠંડીથી રાહત નહીં
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં બરફવર્ષાથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, યુપી, ઝારખંડ અને વિદર્ભમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તામિલનાડુ અને કેરળના દક્ષિણી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સ્કાઇમેટના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી ત્રણ દિવસ સુધી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow