ઓટોમોબાઇલનું રિટેલ વેચાણ નવે.માં ટોપ ગિયરમાં

ઓટોમોબાઇલનું રિટેલ વેચાણ નવે.માં ટોપ ગિયરમાં

દેશમાં નવેમ્બર મહિનામાં પેસેન્જર, દ્વિચક્રી અને કોર્મશિયલ વાહનોના મજબૂત વેચાણને પગલે ઓટોમોબાઇલ સેક્ટરમા રિટેલ વેચાણ ટોપ ગિયરમાં રહ્યું હતું. ઓટોમોબાઇલ રિટેલ વેચાણ નવેમ્બરમાં 26 ટકાના વધારા સાથે 23,80,465 યુનિટ્સ રહ્યું હતું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 18,93,647 યુનિટ્સ નોંધાયું હતું તેવું FADAએ જણાવ્યું હતું.

ભારતીય ઓટો સેક્ટરના ઇતિહાસમાં નવેમ્બર 2022માં સૌથી વધુ રિટેલ વેચાણ નોંધાયું છે. જેમાં માર્ચ 2020માં BS IV તેમજ BS VI ટ્રાન્ઝિશનને કારણે સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું તેવું ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA) અધ્યક્ષ મનીષ સિંઘાનીયાએ જણાવ્યું હતું. તહેવારોની સીઝન પૂરી થતા જ લગ્નસરાની સીઝન શરૂ થવાને કારણે મોમેન્ટમ જળવાયેલું રહ્યું હતું.

નવેમ્બરમાં મોડલ્સની ઉપલબ્ધતા, નવા લોન્ચિંગ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માંગ વધવાને કારણે પેસેન્જર વાહનોનું વેચાણ 21 ટકા વધીને 3 લાખ યુનિટ્સ નોંધાયું હતું. જ્યારે એકંદરે પેસેન્જર વાહનોનું વેચાણ નવેમ્બર, 2021ના 2,48,052 યુનિટ્સથી વધીને 3,00,922 યુનિટ્સ રહ્યું હતું. કોમ્પેક SUV અને SUV શ્રેણીમાં પણ અનેકવિધ વેરિએન્ટ્સને કારણે માર્કેટમાં તેની પકડ વધુ મજબૂત રહી હતી.

દ્વિચક્રી વાહનોનું વેચાણ નવેમ્બર, 2021ના 14,94,797 યુનિટ્સથી 24% વધીને 18,47,708 યુનિટ્સ નોંધાયું હતું. જ્યારે કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ ગત નવેમ્બરના 59,765 યુનિટ્સથી 33 ટકા વધીને 79,369 યુનિટ્સ રહ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને નવા માઇનિંગ પ્રોજેક્ટ્સ પર સતત ફોકસને કારણે આ સેગમેન્ટમાં વૃદ્વિનો માહોલ જોવા મળ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow