સ્મોલકેપ ફંડ્સમાં રોકાણકારોને આકર્ષક કમાણી આ વર્ષે સરેરાશ રોકાણકારોને 14% રિટર્ન આપ્યું

સ્મોલકેપ ફંડ્સમાં રોકાણકારોને આકર્ષક કમાણી આ વર્ષે સરેરાશ રોકાણકારોને 14% રિટર્ન આપ્યું

સ્મોલ-કેપ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ્સે વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સહિત લગભગ તમામ બેન્ચમાર્ક સૂચકાંકોને પાછળ રાખી દીધા હતા. સ્મોલ-કેપ ફંડ્સે જાન્યુઆરી અને જૂન વચ્ચે સરેરાશ 13.42 ટકા રિટર્ન આપ્યું છે. બીજી તરફ, સેન્સેક્સ 6.37 ટકા અને નિફ્ટી 6 ટકા સુધી વધ્યો હતો.

બીએસઇ મિડકેપને બાદ કરતાં અન્ય કોઈ બેન્ચમાર્ક ઈન્ડેક્સ 13 ટકાથી વધુ વધ્યો નથી.દેશમાં સ્મોલ-કેપ કેટેગરીમાં લગભગ 24 યોજનાઓ છે. આ તમામે આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે રોકાણકારોને પોઝિટીવ રિટર્ન આપ્યું હતું. એચડીએફસી સ્મોલ-કેપ ફંડે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 17.53 ટકા રિટર્ન આપ્યું છે. મહિન્દ્રા મનુલાઇફ સ્મોલ-કેપ ફંડ 17.51 ટકા રિટર્ન સાથે બીજા ક્રમે છે. બીજી તરફ, PGIM ઇન્ડિયા સ્મોલ-કેપ ફંડે 4.71% નું સૌથી ઓછું રિટર્ન આપ્યું છે.

2022માં કુલ રોકાણના 90% માત્ર 6 મહિનામાં
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી બોડી એમ્ફીના અહેવાલ અનુસાર 2023ના પ્રથમ 6 મહિનામાં સ્મોલકેપ ફંડ્સમાં આશરે રૂ.18,000 કરોડનું રોકાણ થયું હતું. તેની સરખામણીમાં, સમગ્ર 2022માં આ કેટેગરીના ફંડોએ કુલ રૂ.20000 કરોડનું રોકાણ આકર્ષ્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow