ભાયાવદરમાં 50 મણ ઘઉંના લોટના લાડવા બનાવી ગાયોને ખવડાવ્યા

ભાયાવદરમાં 50 મણ ઘઉંના લોટના લાડવા બનાવી ગાયોને ખવડાવ્યા

જેને સેવા કરવી જ છે તેને પ્રસિધ્ધિની કશી પડી જ હોતી નથી અને મુંગા મોઢે અબોલ પશુઓની સેવા ચાકરી કરતા હોય છે. ભાયાવદરમાં એવા બે ગ્રુપ કાર્યરત છે કે જેના સભ્યો દર વર્ષે ઉત્તરાયણની અલગ જ ઉજવણી કરે છે. આ વખતે 50 મણ ઘઉંના લોટના લાડવા બનાવી મુંગા પશુઓને ખવડાવવામાં આવ્યા હતા, જે માટે સભ્યો આખા શહેરમાં ફરી વળ્યા હતા.

ભાયાવદરમાં સતત અગિયાર વર્ષથી ઉત્તરાયણ પર્વની ઉજવણીના સેવાકીય ભાગ રૂપે શહેરના બે ગ્રુપ જેમાં ક્રિષ્ના અને ઉમિયાજી ગ્રુપના 80 યુવાનો દ્વારા આ સેવાકાર્ય કરાયું છે. ભાયાવદર શહેરમાંથી કોઈ પ્રકારનો ફાળો લીધા વગર શહેરમાં રખડતા અને પાંજરાપોળમાં રહેલા મૂંગા પશુઓ માટે ઘઉંના લાડવા તેમજ શેરી નાકામાં રખડતા શ્વાનો માટે બિસ્કીટનું વિતરણ કરીને સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મૂંગા પશુઓ માટે બનાવામાં આવેલા લાડવામાં 10 કટા ઘઉં,10 ડબ્બા ગોળ,10 ડબ્બા તેલ, 2 કિલો તલ જેવી સામગ્રી વાપરવામાં આવી હતી અને શ્વાનો માટે 60 કિલો બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી .તેમજ આ તમામ પ્રકારની વસ્તુઓ જે બનાવવા આવે છે તેવા ત્રણ કંદોઈ એક પણ પૈસો લીધા વગર આ સેવાકાર્યમાં ફાળો આપી રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow