700 ફૂટની ઊંચાઈએ પેસેન્જરે ફ્લાઇટનો દરવાજો ખોલ્યો

700 ફૂટની ઊંચાઈએ પેસેન્જરે ફ્લાઇટનો દરવાજો ખોલ્યો

દક્ષિણ કોરિયામાં શુક્રવારે એશિયાના એરલાઈન્સની ફ્લાઈટમાં હાજર એક મુસાફરે ​​​​​​વિમાનનો ​દરવાજો ખોલ્યો હતો. ફ્લાઇટને લેન્ડ થવામાં માત્ર 2 મિનિટ બાકી હતી, ત્યારે જ પેસેન્જરે ઇમરજન્સી દરવાજો ખોલી નાંખ્યો હતો. તે સમયે વિમાન 700 ફૂટની ઉંચાઈ પર હતું. દરવાજો ખોલનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.

CNNના રિપોર્ટ અનુસાર, પ્લેનમાં 6 ક્રૂ-મેમ્બર અને 194 મુસાફરો સવાર હતા. આ દરમિયાન 12 મુસાફરો ઘાયલ થયા હતા. નજરેજોનાર એક વ્યક્તિએ કહ્યું- અચાનક એવું લાગ્યું કે પ્લેનમાં વિસ્ફોટ થવાનો છે. દરવાજા પાસે બેઠેલા મુસાફરો બેભાન થવા લાગ્યા. કંઈ સમજી શક્યા નહીં. ફ્લાઈટમાં બાળકો પણ હતા. તેઓ રડી રહ્યા હતા. કેટલાક લોકો ભયથી ધ્રૂજી રહ્યા હતા.

અન્ય એક મુસાફરે કહ્યું- એક વ્યક્તિએ ફ્લાઈટનો દરવાજો ખોલ્યો. તે ફ્લાઈટમાંથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે, પોલીસે કહ્યું - અમે આ કેસમાં એક મુસાફરની ધરપકડ કરી છે. તેની પૂછપરછ ચાલુ છે. તેણે દારૂ પીધો ન હતો. જો કે, તેણે આવું શા માટે કર્યું તેનું કારણ જાણી શકાયું નથી.

એરબસ A321-200ની OZ8124 ફ્લાઇટ જેજુ ટાપુથી ડેગુ શહેર માટે ભારતીય સમય મુજબ સવારે 9:15 વાગ્યે ઉડાન ભરી હતી. એક કલાક પછી પેસેન્જરે દરવાજો ખોલ્યો. આ પછી મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. લેન્ડિંગ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow