શેરમાર્કેટમાં 99.6% ટ્રેડિંગ ફ્યુચર રેટ પર

શેરમાર્કેટમાં 99.6% ટ્રેડિંગ ફ્યુચર રેટ પર

તાજેતરના વર્ષોમાં શેરમાર્કેટમાં ઉછાળા વચ્ચે મોટા ભાગના ટ્રેડર્સને નુકસાનનું એક મોટું કારણ સામે આવ્યું છે. અત્યારે દેશના શેરમાર્કેટમાં 99.6% ટ્રેડિંગ ડેરિવેટિવ (ફ્યૂચર એન્ડ ઓપ્શન્સ) સેગમેન્ટમાં થાય છે. માર્કેટમાં આ પ્રકારનો વાયદા કારોબાર દૈનિક 358 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેનો અર્થ છે કે ટ્રેડર દરેક દિવસે શેરમાર્કેટની કુલ માર્કેટ કેપના 1.25 ગણો વેપાર ભવિષ્યના ભાવ પર કરી રહ્યાં છે.

દેશમાં અંદાજે 5,000 કંપનીઓ લિસ્ટેડ છે. તેમાંથી માત્ર 193 શેર્સ અને ઇન્ડેક્સ માટે ડેરિવેટિવ સોદા (કોન્ટ્રાક્ટ્સ) કરી શકાય છે. તેના માટે અત્યારે અંદાજે 46,000 વ્યક્તિગત સોદા ઉપલબ્ધ છે. એટલે કે 4%થી પણ ઓછા શેર્સને લઇને 99.6% ટ્રેડિંગ થઇ રહ્યું છે, એ પણ ફ્યૂચર રેટ્સ પર. તેને મુકાબલે અમેરિકામાં અંદાજે 70% ટ્રેડિંગ જ ડેરિવેટિવ સેગમેન્ટમાં થાય છે.

દર 10માંથી 9 ટ્રેડર ખોટમાં
માર્કેટ નિયામક સેબીના એક રિપોર્ટ અનુસાર, અત્યારે દર 10માંથી 9 ટ્રેડર ખોટમાં છે. ટ્રેડર દીઠ સરેરાશ નુકસાન અંદાજે 56,000 રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. કુલ મળીને રિટેલ ટ્રેડરના 80%થી વધુ દાવ નુકસાન પહોંચાડી રહ્યાં છે. ગત વર્ષે F&Oના 90% ટ્રેડર્સને અંદાજે 45,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જ્યારે 10%ને 6,900 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. ટ્રેડર દરેક દિવસે શેરમાર્કેટની કુલ માર્કેટ કેપના 1.25 ગણો વેપાર ભવિષ્યના ભાવ પર કરી રહ્યાં છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow