ચૂડીનું ચકિત થઈ જવાય તેવું કામ, પહેરવાથી મહિલાઓને મફતમાં મળી જાય છે આવા લાભ, ચોંકી જવાશે

ચૂડીનું ચકિત થઈ જવાય તેવું કામ, પહેરવાથી મહિલાઓને મફતમાં મળી જાય છે આવા લાભ, ચોંકી જવાશે

હિન્દુ પુરાણ અને ધર્મગ્રંથોમાં મહિલાઓ માટે 16 શ્રંગારની વાત કરાઈ છે જેમાં સિંદૂર, મંગળસૂત્ર અને બંગડીઓનો સમાવેશ થાય છે. ભલે સમય બદલાયો હોય અને લોકોના કપડાં અને સ્ટાઈલ બદલાઈ ગઈ હોય, પરંતુ બંગડીઓનો ટ્રેન્ડ ગાયબ નથી થયો. બંગડીઓ પહેરવાને હજી પણ ધાર્મિક રિવાજોનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર લગ્ન બાદ મહિલાઓએ પોતાના હાથ ખાલી ન રાખવા જોઈએ. એટલે કે તેમણે હાથમાં બંગડીઓ પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ લગ્ન જીવનને ખુશ રાખે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારે છે.

બંગડીઓમાંથી નીકળતો અવાજ ઘરમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે
જો વિવાહિત મહિલાઓ હાથમાં બંગડીઓ પહેરે છે તો તેમના પતિની ઉંમર વધી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં બંગડીઓ પહેરવાના ઘણા ફાયદા છે. એવું માનવામાં આવે છે કે બંગડીઓમાંથી નીકળતો અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ઘરમાં સુખ-શાંતિ વધારે છે. હિન્દુ પરંપરા અનુસાર જે ઘરમાં મહિલાઓ બંગડીઓ પહેરે છે ત્યાં કોઈ પણ વસ્તુની કમી નથી. આર્થિક તંગીથી પણ છૂટકારો મળે છે.  

હાથમાં ચૂડી કે બંગડીઓ પહેરવાના વૈજ્ઞાનિક લાભ પણ છે.
હાથમાં ચૂડી કે બંગડીઓ પહેરવાના બીજા પણ કેટલાક લાભ છે.  નિષ્ણાતો કહે છે કે બંગડીઓ પહેરવાથી સ્ત્રીઓમાં હૃદય અને શ્વસન રોગ ઓછો થાય છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કાંડાની નીચે 6 ઈંચ સુધીના એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે, જેને એક સાથે દબાવવામાં આવે તો શરીરના ઘણા રોગો દૂર થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે બંગડીઓ પહેરવાથી ત્વચા અને તેમની વચ્ચે ઘર્ષણ થાય છે. તેનાથી એનર્જી મળે છે. આ ઉર્જા બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલમાં રાખે છે. તેથી બંગડીઓ પહેર્યા બાદ મહિલાઓ વધુ એનર્જી અનુભવે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow