અસીમ મુનીર બનશે પાકિસ્તાનના નવા આર્મી ચીફ!

અસીમ મુનીર બનશે પાકિસ્તાનના નવા આર્મી ચીફ!

લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર પાકિસ્તાનના નવા આર્મી ચીફ હશે. તેઓ ISIના ચીફ રહી ચૂક્યા છે. તેઓ જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે. તેઓ 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જનરલ મુનીર એ જ છે જેમણે પૂર્વ પીએમ ઈમરાન ખાનને આસપાસના ભ્રષ્ટાચાર વિશે જણાવ્યું હતું. આ પછી જ તેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

અસીમ 2018-2019માં 8 મહિના સુધી ISI ચીફ રહ્યા હતા. ઈમરાન ખાને પોતાના નજીકના સાથી ફૈઝ હમીદને ISI ચીફ બનાવ્યા અને મુનીરને ગુજરાંવાલા કોર્પ્સ કમાન્ડર તરીકે ટ્રાન્સફર કર્યા હતા. અસીમને 2018માં ટુ-સ્ટાર જનરલના હોદ્દા પર પ્રમોટ કરવામાં આવ્યા હતા, પરંતુ બે મહિના પછી તેઓ આ પદ પર જોડાયા હતા. લેફ્ટનન્ટ જનરલ તરીકેનો તેમનો 4 વર્ષનો કાર્યકાળ 27 નવેમ્બરે સમાપ્ત થશે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ મુનીર પાકિસ્તાનના આર્મી ચીફ બન્યા બાદ ભારત સાથેના સંબંધોમાં કોઈ ખાસ બદલાવ નહીં આવે. કારણ કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ થયેલા પુલવામા હુમલામાં મુનીરનો જ હાથ હતો. જે રીતે હુમલો થયો તેમાં પણ મુનીરની છાપ જોવા મળી હતી. આ એક સુયોજિત હુમલો હતો, જે આયોજન અને તાલીમ બાદ અંજામ આપવામાં આવી શકે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow