અશ્વપ્રેમી રવીન્દ્ર જાડેજાની ફાર્મહાઉસમાં ઘોડેસવારી

અશ્વપ્રેમી રવીન્દ્ર જાડેજાની ફાર્મહાઉસમાં ઘોડેસવારી

આમ તો રવિન્દ્ર જાડેજા પોતાનો મોટાભાગનો સમય ક્રિકેટ પાછળ વિતાવે છે, પરંતુ બાકીનો કેટલોક સમય તે પોતાના અંગત મિત્રો એવા અશ્વો સાથે ફાર્મહાઉસમાં વિતાવે છે. સેલિબ્રિટી કોઈ પણ હોય તેમને બાઈક અથવા કાર રાઇડિંગનો શોખ હોય છે, પરંતુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને શોખ છે હોર્સ રાઇડિંગનો. રવિન્દ્ર જાડેજા બુધવારે પોતાના ફાર્મહાઉસ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે હોર્સ રાઇડિંગ કર્યું હતું. ઘોડેસવારીના વીડિયો અને ફોટા કેપ્ચર કરી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા અને તેમાં લખ્યું હતું કે, મારા સપના તરફ દોડી રહ્યો છું. આ પોસ્ટ પર તેમના ફેન્સ દ્વારા માત્ર 7 કલાકમાં 4 લાખ લાઈક કરી 4000થી વધુ કોમેન્ટ કરી દીધી હતી.

તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યા બાદ રાજકોટમાં રમાયેલ રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચેની મેચ ડ્રો થયા બાદ રવિન્દ્ર જાડેજા બુધવારે જામનગર જિલ્લામાં આવેલ પોતાના ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેમને પોતાના મનપસંદ અંગત મિત્રો સમાન અશ્વો સાથે સમય વિતાવ્યો હતો, જેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ સાથે ઘોડેશ્વારી કરતા પણ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતાં, જેમાં ‘નાયક નહિ ખલનાયક....સોંગ અપલોડ કરવામાં આવ્યું છે. જ્યારે કેપ્સનમાં 'મારા સપના તરફ આગળ આગળ વધી રહ્યો છું' લખવામાં આવ્યું છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow