આસો મહિનાની પૂનમના દિવસે જ સોમરસ બનતો હતો

આસો મહિનાની પૂનમના દિવસે જ સોમરસ બનતો હતો

ધર્મગ્રંથોમાં શરદ ઋતુમાં આવતી પૂનમ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તિથિએ ચંદ્રના પ્રકાશમાં ઔષધીય ગુણ આવી જાય છે. એટલે આ દિવસે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાથી અને તેના પછીના દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પરંપરા છે. આ વખતે આ પર્વ 9 ઓક્ટોબર, રવિવારના રોજ રહેશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે પૂનમ તિથિ રવિવારે આખો દિવસ અને રાત રહેશે. એટલે સવારે તીર્થ સ્નાન અને દાન કરવું શુભ રહેશે. આખો દિવસ વ્રત અને પૂજા કર્યા પછી સાંજે ચંદ્રના દર્શન કરો. તે પછ અર્ઘ્ય આપો. બધા દેવી-દેવતાઓને ખીરનું નૈવેદ્ય ધરાવવું. પછી રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખો અને બીજા દિવસે સવારે ખાલી પેટ ખીરને પ્રસાદ તરીકે ખાવી.

શરદ પૂનમના દિવસે ઐરાવત ઉપર બેઠેલાં ઈન્દ્ર અને મહાલક્ષ્મીની પૂજા કરવાથી દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે વ્રત કે ઉપવાસ પણ કરવો જોઈએ અને કાંસના વાસણમાં ઘી રાખીને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. આ પર્વમાં દીપદાન કરવાની પરંપરા પણ છે. રાતે ઘીનો દીવો પ્રગટાવીને મંદિર, બગીચા અને ઘરમાં રાખો. સાથે જ તુલસી અને પીપળાના ઝાડ નીચે પણ રાખો. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપનો દોષ ઓછો થઈ જાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow