તાપમાનનો પારો 7.5 સિંગલ ડિજિટ પહોંચતા નગરજનો ઠુંઠવાયા, ઠંડી સામે રક્ષણ મેળવવા ઠેર ઠેર તાપણાં

તાપમાનનો પારો 7.5 સિંગલ ડિજિટ પહોંચતા નગરજનો ઠુંઠવાયા, ઠંડી સામે રક્ષણ મેળવવા ઠેર ઠેર તાપણાં

જામનગર શહેર અને જિલ્લામાં ઉતરાણપર્વના દિવસથી ઠંડીનો ફરીથી નવો રાઉન્ડ શરૂ થયા પછી જામનગર પંથકમાં શીત લહેર પ્રસરી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડી નો પારો 10થી 7.5 ડિગ્રી વચ્ચે રહ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે.  

સાથો સાથ પ્રતિ કલાકના 24 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને ધ્રુજાવી દીધા છે. જેને લઇને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આજે તાપમાનનો પારો વધુ નીચે ગગડીને સિંગલ ડિજિટ નજીક આવી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુ અને બેઠા ઠાર ના કારણે જનજીવન પર વ્યાપક અસર જેવા મળી રહી છે.  

લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કરતાં કરફ્યુ ટાઈમ પહેલાં જ માર્ગો સુમસામ મળતા હતા. ઉપરાંત જાહેર સ્થળો પર પણ લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે.  

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે બાદ 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાને 7.5 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ગામ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું. જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ ક્લાના 24કિ.મી.ની ઝડપે રહી હતી. જ્યારે જામનગરમાં કડકડતી ટી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના લોકોએ તાપણું કર્યું હતું અને કરકડતી ઠંડીથી રાહત મેળવી હતી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow