પાકિસ્તાનમાં સ્થિતિ વણસી, સમર્થકોએ આર્મી હેડક્વાર્ટર-અધિકારીઓના ઘરો પર હુમલા કર્યા

પાકિસ્તાનમાં સ્થિતિ વણસી, સમર્થકોએ આર્મી હેડક્વાર્ટર-અધિકારીઓના ઘરો પર હુમલા કર્યા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ઈમરાન ખાનની ધરપકડને યોગ્ય ઠેરવી છે. મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જર્સે તેમની ધરપકડ કરી હતી. ઈમરાન ખાન 2 કેસમાં જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા. ઈમરાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમ છતાં ઈમરાનના સમર્થકો પાકિસ્તાને ભળકે બાળી રહ્યા છે. ઈમરાનના સમર્થકો ઠેર-ઠેર તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. પેશાવરમાં એક રેડિયો સ્ટેશનની બિલ્ડિંગમાં આગ લગાવી હતી. સમર્થકોએ ડમી એરક્રાફ્ટને પણ આગચંપી કરી હતી.

ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)નો આરોપ છે - ખાનને મારવામાં આવી રહ્યા છે. પાર્ટીએ ઈમરાનના વકીલનો લોહીલુહાણ પડેલો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

આઈજી અકબર ખાને કહ્યું કે અલ-કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના અખબાર 'ધ ડૉન' અનુસાર - અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડ 50 અબજ રૂપિયાથી વધુનું છે અને તેનો ફાયદો માત્ર ઈમરાન અને તેની પત્ની બુશરા બીબીએ જ લીધો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow