ચિંતાનું ચામડી સાથેનું કનેક્શન

ચિંતાનું ચામડી સાથેનું કનેક્શન

‌                                                             સ્વાતિને કેટલાક વખતથી ગમે ત્યારે ખંજવાળ આવવાનું ચાલુ થઇ જાય, ઘણી વખત તો એટલી ખંજવાળ આવે કે ચામડી ઉપર ઘસરકા પડી જાય અને ઘરવાળાએ રોકવી પડે. સ્કિન સ્પેશિયાલિસ્ટની દવા પછી સારું થાય પણ પાછું એનું એ જ. ખાવા-પીવામાં ઘણી બધી પરેજી રાખવા છતાં જોઈએ એવો ફરક પડતો ન હતો. ચામડીના ડોકટરે કહ્યું કે આ સાયકોજનિક ઇચિંગ હોઈ શકે છે. તો શું માઈન્ડ સાથે ખંજવાળનું કોઈ કનેક્શન ખરું? ઘણીવાર થાય કે શરમથી ચહેરો લાલ થઇ જાય, કંઈક એક્સાઈટિંગ ન્યૂઝ સાંભળીયે તો ગૂઝબમ્પ આવી જાય, એંગ્ઝાયટીમાં પેટમાં પતંગિયા ફરતા હોય તેવી ફીલ આવે તે જ રીતે સ્ટ્રેસના લીધે ખંજવાળ આવી શકે છે. સાયકોજનિક ઇચિંગ કોમન નથી તો એમ કહી શકાય કે રેર પણ નથી. જયારે સ્ટ્રેસ આવે છે તો શરીર ફાઈટ-ફાઇટ-ફ્રીઝની સ્થિતિ પેદા કરે છે. આ માટે કોર્ટિસોલ અને અડ્રેનાલીન કેમિકલનો સ્ત્રાવ જવાબદાર છે જેના લીધે હિસ્ટામાઇન નામનું કેમિકલ પેદા થાય છે. આ કેમિકલ ખંજવાળ માટે કારણભૂત છે. જયારે લાંબા સમય સુધી સ્ટ્રેસ રહેવા લાગે તો બોડી એક પ્રકારનું કનેક્શન પેદા કરે છે જે ઇચિંગ માટે ઈચ્છા જગાડે છે. જેમ વ્યક્તિ પોતાના વિચારોને રોકી શકતો નથી તે રીતે સાયકોજનિક ઇચિંગ પણ રોકી શકાતી નથી. આ પ્રકારની સ્થિતિ રાત્રે વધારે પેદા થઇ શકે છે જેને નોક્ટર્નલ પ્રુરાઇટિસ કહેવાય છે. રાત્રે નીરવ શાંતિના લીધે મગજમાં વિચારોનો વેગ વધી જાય છે. સ્કિનમાં બ્લડ ફલૉ વધારે હોય અને ભેજ ઘટી જવાના લીધે હિસ્ટામાઇન એક્ટિવિટી વધી જાય છે. તે સમયે વધારે ઇચિંગ થવાની શક્યતા વધે છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ દ્વારા પણ દવાઓ અને ક્રીમ ઉપરાંત ઓછા ડોઝની એન્ટીડિપ્રેસન્ટ દવાઓ અને સાયકોલોજિકલ કાઉન્સલિંગની સલાહ આપવામાં આવે છે. જયારે કોઈ રોગમાં સ્ટ્રેસનો ભાગ હોય ત્યારે તે રોગ મટવામાં વાર વધારે લગતી હોય છે. કોઈપણ લાંબા સમયની બીમારીમાં ક્યાંક અને ક્યાંક સ્ટ્રેસ ભાગ ભજવે જ છે જેથી એ દરમિયાન સાઇક્યિાટ્રિસ્ટની મદદ લેવામાં સંકોચ રાખવો જોઈએ નહીં. મૂડ મંત્ર - મનની શક્તિઓ અથાગ છે, તેથી તેની અસર શરીર ઉપર ઘણીબધી જગ્યાએ પડી શકે છે. આ પ્રકારની સ્થિતિ ખાસ કરીને સુષુપ્ત અવસ્થામાં રહેલા મન દ્વારા પેદા થાય છે જેથી અજુગતું લાગવા છતાં તેનો યોગ્ય ઈલાજ કરાવવાનો નિર્ણય સલાહભર્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow