અનિલ અંબાણીને EDની લુકઆઉટ નોટિસ મળી

અનિલ અંબાણીને EDની લુકઆઉટ નોટિસ મળી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ₹3000 કરોડના લોન ફ્રોડના કેસમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ અંબાણીને તપાસ અધિકારીની મંજૂરી વિના ભારત છોડવાની મંજૂરી નથી. જો તેઓ વિદેશ પ્રવાસ કરવાનો પ્રયાસ કરે છે, તો તેમને એરપોર્ટ અથવા બંદર પર અટકાયતમાં લઈ શકાય છે.

અગાઉ, EDએ આ કેસમાં અનિલ અંબાણીને સમન્સ મોકલ્યું હતું. ED 5 ઓગસ્ટે તેમની પૂછપરછ કરશે. ગયા અઠવાડિયે, ED એ મુંબઈ અને દિલ્હી સહિત અનિલની 50થી વધુ કંપનીઓ અને સ્થળો પર દરોડા પાડ્યા હતા. 25થી વધુ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

આ દરોડો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 17 હેઠળ પાડવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ કેસમાં પૂછપરછ માટે આ સમન્સ મોકલવામાં આવ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow