શાપરમાં TV, રમતના મેદાન સાથેનું આંગણવાડી કેન્દ્ર શરૂ

શાપરમાં TV, રમતના મેદાન સાથેનું આંગણવાડી કેન્દ્ર શરૂ

કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે આંગણવાડી કેન્દ્ર નં.8 આજે સૌરાષ્ટ્રની પ્રથમ આધુનિક આંગણવાડી કેન્દ્ર બની છે. અહીં દાતાઓના સહયોગથી બાળકોના સર્વાંગી વિકાસ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી અને દાતાઓ દ્વારા કરી બાળકો માટે ખુલ્લી મુકાઇ છે.

આંગણવાડી કેન્દ્રમાં બાળકોના સર્વાંગી વિકાસનો પાયો નખાતો હોય છે. ત્યારે શાપરમાં હાલના સમય મુજબની આધુનિક આંગણવાડી દાતાઓના સહયોગથી ખુલ્લી મૂકવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્ર નં.8 પહેલા ભાડાના મકાનમાં ચાલતી હતી, જેને ગ્રામપંચાયત દ્વારા પૂરતી જમીન ફાળવવામાં આવી છે. આ આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે હોલ બનાવવામાં આવ્યો છે જેમાં ટીવી અને મ્યુઝિક સિસ્ટમ, ઇન્ડોર રમત માટે એક રૂમ જ્યારે આઉટડોર રમત માટે મેદાન સાથે રમતોના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.  

ભોજન માટે અલાયદો રૂમ પણ છે જ્યારે આ આંગણવાડીમાં લીમડો, આંબળા, ચીકુ, નારિયેળી સહિતના વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. ખાનગી નર્સરી જેવા શાપરના આંગણવાડી કેન્દ્ર 8મા બાળકો માટે શિક્ષણની આધુનિક સેવા સાથે ફાયર સેફ્ટીની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. ત્યારે આ વિસ્તારમાં બાળકોના ભવિષ્યના ઘડતર માટે આ આધુનિક આંગણવાડી કેન્દ્ર મોડેલરૂપ બની રહ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow