અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઘરમાં કેદ કરવાના પ્રયાસ

અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઘરમાં કેદ કરવાના પ્રયાસ

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનમાં મહિલાઓના અધિકારોનું બર્બરતાપૂર્વક દમન કરવામાં આવી રહ્યું છે. ગઇ સાલ ઓગસ્ટમાં તાલિબાને સત્તા હાંસલ કર્યા બાદ શિક્ષણ, નોકરીઓ અને તેમની અવરજવર પર પ્રતિબંધ લગાવીને મહિલાઓને ઘરોમાં કેદ કરવા માટે નિયમો બદલવાના શરૂ કરી દીધા છે.

નિયમો લાગુ કરવા માટે મૌલવીઓનો સહારો લીધો
દુનિયાને દેખાડવા માટે પોતાના નિયમો લાગુ કરવા માટે મૌલવીઓનો સહારો લીધો. તેમની સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ પર પ્રતિબંધ લગાવી દીધો. આગળ વધતી મહિલાઓને રોકવા માટે તાલિબાન સુરક્ષાબળોએ તેમને ડરાવી, ધમકાવી, જેલમાં લઇ જવાથી લઇને અપહરણ સુધી કરવામાં આવે છે.

અફઘાનિસ્તાનની મહિલા અધિકાર કાર્યકર્તા ખદીજા અહમદીએ બતાવ્યું કે તાલિબાને મહિલાઓને જજ કે વકીલના પદ પર કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. સત્તા પર કબજો કર્યા પહેલાં અફઘાનિસ્તાનમાં લગભગ 300 મહિલા જજ હતી. તાલિબાને આ બધી મહિલા જજને દેશનિકાલ આપી દીધો.

હજારો પરિવાર પાકિસ્તાન, ઇરાન, તૂર્કી જઇ ચૂક્યા છે
ખદીજાના અનુસાર તાલિબાનનું વલણ મહિલાઓની સામાજિક સ્થિતિ અને મનોવૈજ્ઞાનિક રૂપે ગંભીર છે. તાલિબાન મહિલાઓને સેકન્ડ ક્લાસ નાગરિકના રૂપે સ્થાપિત કરમા માગે છે. વિશેષ રૂપે યુવા પુરુષો અને છોકરાને વર્ચસ્વવાદી અને મહિલાઓને ઘર અને પોતાના કામમાં ઉપયોગી વસ્તુ બનાવી દેવા ઇચ્છે છે.

પ્રતિબંધોને લીધે હજારો પરિવાર મહિલાઓને લઇને પાકિસ્તાન, ઇરાન અને તૂર્કી જેવા પડોશી દેશમાં જઇ ચૂક્યા છે. પાકિસ્તાન આ દેશોમાં ટોપ પર રહ્યું છે, જ્યાં હાલમાં મહિનાઓમાં મોટી સંખ્યામાં અફઘાની શરણાર્થી પહોંચ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હવે અમેરિકામાં ભણી રહ્યા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow