ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ધારાસભ્યો સાથે અમિત શાહની મોટી બેઠક, તાબડતોબ આપ્યા આ આદેશ, CM પણ હતા હાજર

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ધારાસભ્યો સાથે અમિત શાહની મોટી બેઠક, તાબડતોબ આપ્યા આ આદેશ, CM પણ હતા હાજર

કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્રના ધારાસભ્યો સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. અમિત શાહે બેઠકમાં ધારાસભ્યોને સૂચન કર્યું હતું અને ગાંધીનગરમાં પેન્ડિંગ પડેલા પ્રોજેક્ટ્સ પર કામગીરી શરૂ કરવા સૂચન પણ કર્યું હતું. તેમજ અમિત શાહે લોકસભાની ચૂંટણીને લઈ તમામ ધારાસભ્યોને કામ પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

વિકાસના કામો અંગે ધારાસભ્યો સાથે ચર્ચા કરાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા અંતર્ગતના ધારાસભ્યોની અમિત શાહ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ધારાસભ્યો સાથે પ્રથમ બેઠક યોજી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધારાસભ્યોને સૂચનો કર્યા હતા. જેમાં ગૃહમંત્રીએ ગાંધીનગરના પેન્ડિંગ પ્રોજેક્ટો પ્રાથમિકતા આવરા સૂચન કરાયા હતા. ત્યારે બેઠકમાં ઘાટલોડિયાના ધારાસભ્ય, સાબરમતી, નારણપુરાના ધારાસભ્ય સાણંદ, વેજલપુર, કલોલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. વિકાસના કામો અને લોકોના પ્રશ્નોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

અમિત શાહના હસ્તે ગતરોજ માનવ ઉત્સવનો પ્રારંભ
આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને આ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. અમિત શાહના હસ્તે ગતરોજ માનવ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow