અમેરિકામાં સતત ત્રીજી વાર વ્યાજદરમાં ઘટાડો, ભારતીય બજારમાં પણ હરિયાળી

અમેરિકામાં સતત ત્રીજી વાર વ્યાજદરમાં ઘટાડો, ભારતીય બજારમાં પણ હરિયાળી

અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સ (0.25%)નો ઘટાડો કર્યો છે. હવે તે 3.50% થી 3.75% ની વચ્ચે આવી ગઈ છે. આ પહેલા ફેડે 29 ઓક્ટોબરે પણ 0.25%નો ઘટાડો કર્યો હતો, જેના કારણે તે 3.75% થી 4.00%ની વચ્ચે હતો. ફેડે આ પગલું મુખ્યત્વે લેબર માર્કેટમાં નરમાશ અને વધેલી મોંઘવારીને કારણે ભર્યું છે.

અમેરિકામાં થતી કોઈપણ હિલચાલની સીધી અસર ભારતીય બજાર પર પડે છે. હવે, યુએસ ફેડરલ રિઝર્વે પોલિસી રેટમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી.

આ સતત ત્રીજી વખત છે જ્યારે ફેડે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આ પહેલા 17 સપ્ટેમ્બર અને 29 ઓક્ટોબરે વ્યાજ દરોમાં કુલ 0.50%નો ઘટાડો થયો હતો. ત્યારે વ્યાજ દરો 4% - 4.25% અને 3.75% - 4% ની વચ્ચે આવી ગયા હતા. ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ આ ઘટાડાની તરફેણમાં 9-3 થી મતદાન કર્યું.

ગયા વર્ષે ત્રણ વખત ઘટાડ્યા હતા વ્યાજ દર

ગયા વર્ષે ફેડે સતત ત્રણ વખત - ડિસેમ્બરમાં 0.25%, નવેમ્બરમાં 0.50% અને સપ્ટેમ્બરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. ત્યારથી દરો 4.25% થી 4.50% ની વચ્ચે હતા. સપ્ટેમ્બર 2024નો ઘટાડો લગભગ 4 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.

ફેડ દ્વારા માર્ચ 2020 પછી સપ્ટેમ્બર 2024માં વ્યાજ દરો ઘટાડવામાં આવ્યા હતા. મોંઘવારી નિયંત્રિત કરવા માટે સેન્ટ્રલ બેંકે માર્ચ 2022 થી જુલાઈ 2023 વચ્ચે 11 વખત વ્યાજ દરોમાં વધારો કર્યો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow