અમેરિકામાં રહેતા પટેલ યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકનું ઘટના સ્થળે મોત…

અમેરિકામાં રહેતા પટેલ યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકનું ઘટના સ્થળે મોત…

વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓની જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમેરિકામાં રહેતા પટેલ યુવકનું બે આરોપીઓ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.

મૂળ કડીના પટેલ યુવકનો અમેરિકામાં જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર યુવક પોતાના પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં વસવાટ કરતો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે અમેરિકામાં આવેલા પોતાના નેસવિલના ટેનીસિ સ્ટોરમાં હતો. ત્યારે અચાનક જ બે યુવકો સ્ટોરમાં ગુસ્સે છે અને પટેલ યુવક પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લે છે.

આ ઘટનામાં પટેલ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ વિશાલભાઈ પ્રવીણભાઈ પટેલ હતું અને તેમની ઉંમર 36 વર્ષની હતી.

તેઓ મૂળ કડી તાલુકાના ઊંટવા ગામના રહેવાસી હતા. વિશાલભાઈ પોતાના આખા પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમેરિકાની અંદર વસવાટ કરે છે. 28 તારીખ એટલે કે સોમવારના રોજ વિશાલભાઈ સાંજના સમયે પોતાના સ્ટોર ઉપર હાજર હતા. ત્યારે બે અજાણ્યા યુવકો સ્ટોર પર ઘુસી આવે છે.

અને બંનેને જોઈને વિશાલભાઈ કાંઈ બોલે તે પહેલા તો બંને વિશાલભાઈ પર ગોળી ચલાવે છે. આ ઘટનામાં વિશાલભાઈના છાતીના ભાગે અને માથાના ભાગે ગોળી વાગી હતી. આ કારણસર તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ વિશાલ ભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow