અમેરિકનોને વૃદ્ધાવસ્થા પસંદ નથી, કોસ્મેટિક સર્જરી, મેરેથોન થકી લાંબા સમય સુધી યુવાન રહેવાનો પ્રયાસ

અમેરિકનોને વૃદ્ધાવસ્થા પસંદ નથી, કોસ્મેટિક સર્જરી, મેરેથોન થકી લાંબા સમય સુધી યુવાન રહેવાનો પ્રયાસ

જીવનની ત્રણ વાસ્તવિકતા છે- એક છે, જન્મ. બીજી છે, જીવન અને ત્રીજી છે, મૃત્યુ. આ પૈકી એક વાસ્તવિકતા એ પણ છે તે વધુ ને વધુ જીવવાની ઈચ્છા વ્યક્ત કરતા લોકોની. 1955થી 60 દરમિયાન અમેરિકામાં જન્મેલી પેઢીએ આજે લગભગ 65 વર્ષ જોયાં હશે, પરંતુ તેઓ પોતે વૃદ્ધ હોવાની વાસ્તવિકતાને સ્વીકારતા નથી. તેઓ યુવાન રહેવા તમામ પ્રયાસ કરે છે. દર વર્ષે 65 વર્ષથી વધુ ઉંમરના લગભગ દોઢ કરોડ લોકો કોસ્મેટિક સર્જરીમાંથી પસાર થાય છે. 60 પાર લોકો મેરેથોન દોડે છે. ‘સિક્સ્ટી ઇઝ નાઉ ફિફ્ટી’ના મંત્ર જપી રહ્યા છે.

અમેરિકા 65 પાર વૃદ્ધાવસ્થાથી ડરે છે કેમ? તેનું કારણ એ છે કે આ લોકો યુવાન હતા ત્યારે અમેરિકામાં નવી નવી શોધો થતી. માણસ ચંદ્ર પર પહોંચી ગયો હતો, ફૂડચેન ખૂલી રહ્યાં હતાં, સ્વતંત્ર વિચારોની બોલબાલા હતી. આ પેઢીએ ક્યારેય પણ વૃદ્ધાવસ્થા વિશે વિચાર્યું નહોતું. માર્કેટ વોચ મુજબ, 65 વર્ષથી વધુ ઉંમરના 71% થી વધુ લોકોએ તેમની યુવાનીમાં વૃદ્ધાવસ્થા માટે રિટાયર્મેન્ટ પ્લાન પણ બનાવ્યો ન હતો.

હવે આ પેઢી વૃદ્ધ થઈ ગઈ છે, પરંતુ આ વાસ્તવિકતાને સ્વીકારવાને બદલે તેઓ પોતાને યુવાન દેખાવાનો પ્રયાસ કરે છે. સ્કિડમોર કોલેજ ઓફ સાઈકોલોજીના પ્રો. શેલ્ડન સોલોમન કહે છે કે, આ માટે અમેરિકન સમાજની વિચારસરણી જવાબદાર છે. અમેરિકામાં વૃદ્ધ થવાનો મતલબ નિસ્તેજ થઈ જવું છે. તેઓ યુવાનીને જ શ્રેષ્ઠ માને છે.

પહેલીવાર 65 વર્ષના લોકોને 18 વર્ષના વટાવી જશે
અમેરિકામાં ઝડપથી વૃદ્ધ થઈ રહેલા લોકો 2034માં પ્રથમવાર 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી 18 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના લોકો કરતાં વધારે હશે. US સેન્સસ બ્યૂરો અનુસાર 2030 સુધીમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકો કુલ વસ્તીના 20% હશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow