અમેરિકા ભારતથી ગદગદ થયું: વિદેશ મંત્રી એસ જયશંકરના કર્યા ભરપેટ વખાણ, કહ્યું રશિયા વાતને સાંભળે

અમેરિકા ભારતથી ગદગદ થયું: વિદેશ મંત્રી એસ જયશંકરના કર્યા ભરપેટ વખાણ, કહ્યું રશિયા વાતને સાંભળે

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મોસ્કોમાં થયેલી મંત્રણાના બાબતે નેડ પ્રાઈસે કહ્યું કે ગત મહિને મહિનાઓમાં અમે ભારતીય વિદેશ મંત્રાલય સાથે ઘણી વાતચીત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ એસ જયશંકરને મળ્યા છે. નેડ પ્રાઈસે કહ્યું કે ભારતે ફરીથી કહ્યું છે કે તે યુદ્ધની વિરુદ્ધ છે. આવી જ સલાહ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપી હતી અને હવે જયશંકરે પણ આ જ વાત કહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમરકંદમાં પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી.

યુદ્ધનો ઉકેલ વાતચીત લાવે
નેડ પ્રાઈસે કહ્યું કે ભારતે સંદેશ આપ્યો છે કે તે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા લાવે. ભારતે કહ્યું છે કે આ યુદ્ધનો સમય નથી, આવી સ્થિતિમાં બંને દેશોએ ભારતની ભૂમિકાનું મહત્વ સમજવું જોઈએ.

રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે અમેરિકાની પ્રતિક્રિયા
મોસ્કોમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. અમેરિકાના પ્રવક્તા નેડ પ્રાઈસે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ મામલો રશિયા અને ભારતના દ્વિપક્ષીય હિતો સાથે જોડાયેલો છે. સામૂહિક હિતોને ધ્યાનમાં રાખીને ભારતે રશિયા પરની નિર્ભરતા ઓછી કરવી જોઈએ. અમેરિકાએ કહ્યું કે ભારતને ઊર્જાની ખૂબ જ જરૂર છે અને તેથી જ તે રશિયા પાસેથી ઈંધણ ખરીદી રહ્યું છે તે પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતું નથી. તેમણે કહ્યું કે આ સમય રશિયા સાથે વેપાર કરવાનો નથી અને જે દેશો તેના પર નિર્ભર છે તેમણે રશિયા સાથેનો વેપાર ઓછો કરવો જોઈએ.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow