અમેરિકા: કમાવા માટે નોકરીએ જવાને બદલે ઘરે જ બાળકોની સારસંભાળ રાખતા પુરુષોની સંખ્યા વધી

અમેરિકા: કમાવા માટે નોકરીએ જવાને બદલે ઘરે જ બાળકોની સારસંભાળ રાખતા પુરુષોની સંખ્યા વધી

અમેરિકામાં કમાવા માટે નોકરી કરવાને બદલે ઘરે જ રહેતા પુરુષોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે, ઘરમાં રહેનારી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પ્યૂ રિસર્ચ મુજબ વર્ષ 1989 અને 2021ની વચ્ચે ઘરમાં રહેનારી મહિલાઓની સંખ્યામાં 26% થી 28% ઘટાડો થયો છે જ્યારે આ સમય દરમિયાન કામ કરવાને બદલે ઘરે જ રહીને બાળકોની સારસંભાળ રાખનાર પુરુષોની સંખ્યામાં 4% થી 7%નો વધારો થયો છે. ઘરમાં રહેતા અને કામ પર જતા પુરુષો વચ્ચેનાં વિવિધ ધોરણો વચ્ચે શું તફાવત છે તે પણ જણાવ્યું છે. તે આ પ્રમાણે છે.

• શિક્ષણ: નોકરી કરતા પુરુષોની સરખામણીએ ઘરે રહેતા પુરુષોએ ઓછામાં ઓછો સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાની શક્યતા ઓછી હોય છે. ઘરે રહેતા લગભગ 22% પુરુષોનું શિક્ષણનું સ્તર આ જ છે. • ગરીબી: ઘરમાં રહેતા પુરુષોનો પરિવાર નોકરી કરતાં પુરુષોના પરિવારની સરખામણીએ આર્થિક રીતે ઓછા સમૃદ્ધ હોય છે. ઘરે રહેતા આશરે 40% પુરુષોનો પરિવાર ગરીબીમાં જીવે છે જ્યારે નોકરી કરતા પુરુષોમાં આ આંકડો માત્ર 5% છે. • ઉંમર : ઘરમાં રહેતા પુરુષો કામ પર જતા પુરુષોની સરખામણીએ વધુ ઉંમરના હોય છે. 46% ઘરમાં રહેતા પુરુષો 45 વર્ષ કરતાં વધુ વયના છે. • લગ્ન: ઘરે રહેતા પુરુષોમાં 68% પરિણીત હોય છે જ્યારે કામ કરતા પુરુષોમાં 85% પરિણીત છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow