અમેિરકા: જંગલોમાં હેલિકોપ્ટરમાંથી ગાયો પર ફાયરિંગ

અમેિરકા: જંગલોમાં હેલિકોપ્ટરમાંથી ગાયો પર ફાયરિંગ

અમેરિકાના એક રાજ્યમાં હેલિકોપ્ટરમાંથી ગાયોને ગોળી મારવાનો ચોંકાવનારો નિર્ણય કર્યો છે. ન્યૂ મેક્સિકો સ્ટેટના વન વિભાગનું કહેવું છે કે, આ જાનવરો આખું વર્ષ ચરે છે, જેના કારણે જંગલમાં નદીના કિનારાનું ધોવાણ થઇ રહ્યું છે. તેમના કારણે જંગલોમાં રહેતા બીજા જાનવરોની આદતો પણ બદલાઇ શકે છે. એવું પણ કહેવાયું છે કે, ગાય-આખલા પાણીની ગુણવત્તા પણ બગાડી રહ્યા છે. જંગલની બાયોડાયવર્સિટી માટે આ યોગ્ય નથી.

ગિલા વિલ્ડરનેસ નેશનલ ફોરેસ્ટના સુપરવાઇઝર કેમિલે હોવેસ સ્પષ્ટતા કરતા કહે છે છે કે, અમે ફક્ત એ જ ગાયોને મારી રહ્યા છીએ, જેમનું ટેગિંગ નથી કરાયું. તે પ્રવાસીઓ પર પણ હુમલા કરે છે. તેમને મારવાથી દર વર્ષે અહીં આવતા આશરે 3.90 લાખ પ્રવાસીઓને પણ સુરક્ષા મલશે. આ જંગલ આશરે 30 લાખ ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે, જેમાં નદી, પહાડ અને ખીણો પણ છે. આ કારણથી હેલિકોપ્ટરમાંથી ગોળી મારવાનો વિકલ્પ પસંદ કરાયો છે. આ જંગલની 150 ગાયોને ચાર દિવસમાં મારવાનું અમારું લક્ષ્ય છે. આ પહેલા પણ જાહેર સ્થળો ખાલી કરાવવા માટે અનેક ઘોડાને ગોળી મારી દેવાઇ હતી. ગયા વર્ષે પણ ગિલામાં 65 જાનવરોને ગોળીએ દેવાયા હતા. આ પ્રકારની હત્યાઓથી પશુપાલકો અને પર્યાવરણવિદો ચિંતિત છે.

સાયનાઇડ બોમ્બથી પણ ઢોરની હત્યાની મંજૂરી
જાનવરોની હત્યાના નિર્ણય અમેરિકામાં નવી વાત નથી. અહીં અનેક વિરોધ વચ્ચે ગાય-બળ, કૂતરા, ઘોડા, જંગલી સુવર, શિયાળ અને વરુની ગોળી મારીને હત્યા કરાય છે. અમેરિકાએ 2019માં સાયનાઇડ બોમ્બના ઉપયોગની પણ બીજી વાર મંજૂરી આપી હતી. તેમાં સોડિયમ સાયનાઇડ નામના ઝેરથી જાનવરોને મારી નંખાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow