અમે માણસના મગજમાં ચિપ લગાવીને દૃષ્ટિ આપીશુંઃ મસ્ક

અમે માણસના મગજમાં ચિપ લગાવીને દૃષ્ટિ આપીશુંઃ મસ્ક

ફ્રેમોંટ, ટેસ્લા, સ્પેસએક્સ, ટ્વિટર બાદ હવે ઈલોન મસ્કની ન્યૂરાલિન્ક સ્ટાર્ટઅપ પણ ચર્ચામાં છે. ન્યૂરાલિન્ક છ મહિનામાં માણસના મગજમાં સિક્કાના કદની કમ્પ્યુટર ચિપ લગાવવા જઇ રહી છે. આ કંપનીની કેલિફોર્નિયા ઓફિસમાં આયોજિત કાર્યક્રમમાં મસ્કે આ જાહેરાત કરી હતી. આ ઇમ્પ્લાન્ટની મંજૂરી માટે કંપની ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશનને તમામ દસ્તાવેજ સોંપી ચૂકી છે.

ન્યૂરાલિન્ક પેરાલિસિસના દર્દીઓના મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરીને સ્વસ્થ કરવા પર કામ કરે છે. મસ્કે કહ્યું છે કે, અમે આ દિશામાં મહેનત કરીએ છીએ. અમારી યોજના લોકોને દૃષ્ટિ આપવાની તેમજ પેરાલિસિસને ઠીક કરવા પર કેન્દ્રિત છે. જન્મથી અંધ લોકોની આંખમાં ન્યૂરાલિન્કની મદદથી રોશની લાવી શકાય છે. પેરાલિસિસગ્રસ્તોને પણ ઠીક કરી શકાશે.

મસ્કે એપલના સીઇઓ ટિમ કૂકની મુલાકાત લીધી છે. બાદમાં મસ્કે કહ્યું કે, અમારા તમામ મતભેદ દૂર થઇ ગયા છે. આ પહેલા મસ્કે એપલ અને ગૂગલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે એપલે ટ્વિટરને પોતાના એપ સ્ટોરથી દૂર કરવાની ધમકી આપી છે. તેઓ ટ્વિટરને એપ સ્ટોર પર સેન્સર કરવા ઇચ્છે છે. તેઓ ટ્વિટરથી બોગસ અને સ્પેટ, સ્પે એકાઉન્ટને પણ દૂર કરે છે, જેનાથી યુઝર્સના ફોલોઅર ઝડપથી ઓછા થઇ શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow