અમદાવીદમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનરે 3 મહિના સહી ન કરતા 1000 ફાઈલનો ભરાવો!

અમદાવીદમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનરે 3 મહિના સહી ન કરતા 1000 ફાઈલનો ભરાવો!

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થયા બાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર પ્રેમવીરસિંઘને સોંપાયો હતો. પ્રેમવીરસિંઘ પાસે 3 મહિના સુધી પોલીસ કમિશનરનો ચાર્જ રહ્યો હતો. પરંતુ આ 3 મહિનામાં તેમણે એક પણ ફાઈલ ઉપર સહીં કરી ન હતી. જેના કારણે 1 હજાર ફાઈલો પેન્ડિંગ પડી રહી હતી. નવા પોલીસ કમિશનરને આ ફાઈલોનો નિકાલ કરવા માટે વહીવટી સ્ટાફને ઓફિસ છૂટયા પછી પણ બેસાડી રાખીને ફાઈલોનો નિકાલ કરવાની ફરજ પડી હતી.

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30 એપ્રિલે નિવૃત્ત થયા હતા. તેના 3 મહિના બાદ પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકની નિમણૂક કરાઈ હતી. 3 મહિના સુધી પોલીસ કમિશનરનો ચાર્જ ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર પ્રેમવીરસિંઘ પાસે હતો. આ 3 મહિનાના સમય ગાળામાં તેમણે એક પણ ફાઈલ ઉપર સહી કરી ન હતી. જેના કારણે રોજની 10 થી 15 ફાઈલ લેખે 1 હજાર ફાઈલો પોલીસ કમિશનરની સહી વગર પડી રહી હતી. જ્યારે નવા પોલીસ કમિશનરે જી.એસ.મલિકે 31 જુલાઈએ ચાર્જ સંભાળ્યો ત્યારે ફાઈલોના ઢગલા જોઈને તેમણે વહીવટી સ્ટાફને પૂછતાં જાણવા મળ્યું કે, ઈન્ચાર્જ પોલીસ કમિશનરે આ ફાઈલો ઉપર સહીઓ કરી ન હોવાથી પેન્ડિંગ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow