અંબાજી, બહુચરાજી, શામળાજી, ઊંઝા ઉમિયા મંદિર અને મોઢેરાનું મોઢેશ્વરી મંદિર સૌરઊર્જાથી ઝળહળ્યું

અંબાજી, બહુચરાજી, શામળાજી, ઊંઝા ઉમિયા મંદિર અને મોઢેરાનું મોઢેશ્વરી મંદિર સૌરઊર્જાથી ઝળહળ્યું

ગુજરાતી પ્રજાના આધ્યાત્મિક ઊર્જાનાં કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામો સૌરઊર્જા ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઉત્તર ગુજરાતના અંબાજી, બહુચરાજી, ઊંઝા ઉમિયા માતા મંદિર, શામળાજી અને મોઢેરા મોઢેશ્વરી માતા મંદિર સહિત પાંચ મંદિરોમાં કુલ 398 કિલોવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેને કારણે આ મંદિર ટ્રસ્ટોના માથેથી વીજબિલનું ભારણ ઘટવાની સાથે વીજબચત પણ થઇ રહી છે.

અંબાજીમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે પ્રવેશદ્વાર નં.9 પર રૂ.16 લાખના ખર્ચે હાઈડ્રોલિક લિફ્ટ, રૂ.10.47 લાખના ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા, વીજબચત માટે રૂ.9.56 લાખના ખર્ચે હાઈમાસ્ટની સુવિધા, મંદિર પરિસરમાં રૂ.44.23 લાખના ખર્ચે 98 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ, ગબ્બર પરિક્રમાપથ પર 18.63 લાખના ખર્ચે સ્ટ્રીટલાઈટ ફિટિંગ કરાઇ છે. શામળાજી મંદિરમાં રૂ.8.86 લાખના ખર્ચે 25 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાઇ છે. તેમજ રૂ.8.04 લાખના ખર્ચે સોલાર સંચાલિત પીવાના પાણીની સુવિધા ઊભી કરાઇ છે. મોઢેરામાં મોઢેશ્વરી મંદિર ખાતે 65 લાખની 145 કિલોવોટની સોલાર રૂફટોપ લગાવાઇ છે.

બહુચરાજી મુખ્ય મંદિર પરિસર ઉપરાંત મંદિર સંચાલિત વલ્લભ ભટ્ટની વાવ, ભોજનાલય, યાત્રિક ભવન સહિતના સ્થળોએ 100 કિલોવોટની સોલાર રૂફટોપ લગાવાઇ છે. જેને કારણે મંદિરને 7 થી 8 લાખની વીજબિલમાં બચત થઇ રહી છે. સોલાર રૂફટોપ યોજનામાં સરકાર હસ્તકનાં યાત્રાધામોનો તમામ ખર્ચ રાજ્ય સરકાર વહન કરે છે. ખાનગી ટ્રસ્ટ સંચાલિત યાત્રાધામોમાં 70 % ખર્ચ સરકાર અને 30 ટકા ખર્ચ ખાનગી ટ્રસ્ટ કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow