અમદાવાદ-ગોવાની ફ્લાઇટ મહિનો મોકૂફ થવાથી 5 હજાર લોકો રઝળ્યા

અમદાવાદ-ગોવાની ફ્લાઇટ મહિનો મોકૂફ થવાથી 5 હજાર લોકો રઝળ્યા

ગો ફર્સ્ટ બાદ હવે સ્પાઈસજેટ એરલાઈનની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે એરક્રાફટની અછત હોવાથી અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટ રાતોરાત બંધ કરી દીધી છે. ભાસ્કરે પૂછેલા પ્રશ્નમાં એરલાઇને જણાવ્યુ કે ‘ઓપરેશનલ કારણોસર ફલાઇટ બંધ કરવામાં આવી છે તે ક્યારે શરૂ થશે તે નક્કી નથી. એડવાન્સમાં બુકિંગ કરાવેલ પેસેન્જરો-ટૂર ઓપરેટરોને રિફંડ આપી દેવાની બાંયેધારી આપવામાં આવી છે.

અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટ રાતોરાત બંધ કરી દીધી
જો કે એરલાઇનની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે વર્ષ પહેલા અમદાવાદથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સહિત 11 ડિપાર્ચર હતા જે ધીમેધીમે ચાર પર આવી ગયા હતા. આજે ગોવાની ફલાઇટ પણ બંધ થતા હવે અમદાવાદથી દુબઇ, દિલ્હી અને જયપુર એમ કુલ ત્રણ જ સેક્ટર પર ફલાઇટ ઓપરેટ કરશે. અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટે મંગળવારે બપોરે 4.14 કલાકે ગોવા માટે છેલ્લી ઉડાન ભરી હતી. એરલાઇન કંપનીએ તમામ પેસેન્જરોને ફ્લાઇટ મેસેજ કરી જાણ કરી દેવાઈ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow