અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત સ્ટાર બની ગયા છે. ક્રિશ કપૂર અને વાણીની ભૂમિકાઓએ બંનેને માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઓળખ અપાવી છે. ફિલ્મમાં બંનેની જોડી અને તેમની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી છે. બંનેનો આ રોમાંસ ફક્ત મોટા પડદા સુધી મર્યાદિત નથી, પરંતુ રિયલ લાઈફમાં પણ આગળ વધી રહ્યો છે. પહેલા બંને સાથે જોવા મળ્યા હતા અને હવે એક્ટ્રેસ અનિત પડ્ડાની ચેટ વાઇરલ થઈ ગઈ છે. આ જોયા પછી, નેટીઝન્સનું માનવું છે કે તે બંનેની રિયલ લાઇફ લવસ્ટોરી ચાલી રહી છે.

વર્ષ 2025ની સૌથી મોટી હિટ લવસ્ટોરી ફિલ્મ 'સૈયારા' આપનાર એક્ટર અહાન પાંડે અને એક્ટ્રેસ અનિત પડ્ડા તાજેતરમાં જ મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મની સફળતા પછી, બંને સિંગાપોરની ટ્રિપ પર ગયા હતા અને હવે બંને એક મોલમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા.

વીડિયોમાં, અહાન અને અનિત એક મોલમાં શોરૂમમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. બંનેએ માસ્ક પહેર્યા હતા અને ઓળખાણ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પાપારાઝીએ તેમને જોયા અને કેમેરામાં કેદ કરી લીધા. બહાર જતી વખતે, અહાને અનિતનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનિતે કેમેરા જોયા કે તરત જ તેણે તેનો હાથ પકડ્યો નહીં. બંને વચ્ચેનો આ રોમાન્સ કેમેરામાં કેદ થયો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow