ભૂકંપ પછી કાટમાળમાં લોકો સ્વજનોને શોધી રહ્યા!

ભૂકંપ પછી કાટમાળમાં લોકો સ્વજનોને શોધી રહ્યા!

ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર સોમવારે આવેલા ભૂકંપમાં 162 લોકોના મોત થયા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ પછી ચારેય તરફ કાટમાળ, મૃતદેહો અને ઘાયલો દેખાઈ રહ્યા છે. 2 હજારથી વધુ મકાનો ધરાશાયી થયા હતા. 13 હજાર લોકો બેઘર છે. ઇજાગ્રસ્તોને કામચલાઉ કેમ્પ, પાર્કિંગની જગ્યાઓ અને રસ્તાઓ પર સારવાર આપવામાં આવી રહી છે.

સૌથી વધુ વિનાશ સિયાંજુર શહેરમાં થયો છે, જ્યાં ભૂકંપ દરમિયાન 3 મિનિટ સુધી ઇમારતો હલતી રહી હતી. મોટાભાગના મૃત્યુ પણ અહીં થયા છે. આંકડો હજુ સ્પષ્ટ થયો નથી.

સોમવારે બપોરે પશ્ચિમ જાવા ટાપુ પર 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનમાં બહુ નીચું ન હતું. કેન્દ્ર 10 કિ.મી. નીચે હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો ભૂકંપનું કેન્દ્ર વધુ ઉંડાણમાં હોત તો આટલી તબાહી ન થઈ હોત. ઈન્ડોનેશિયાની જિયોફિઝિકલ એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ બાદ 25 આફ્ટરશોક્સ આવ્યા હતા. જેના કારણે લોકોને બહાર નીકળવાની તક મળી નહીં. સિયાંજુર સૌથી વધુ પ્રભાવિત થયું હતું કારણ કે ત્યાં વસ્તી ખૂબ જ ગીચ છે. અહીં ભૂસ્ખલન સામાન્ય છે. ઘરો ખૂબ મજબૂત રીતે બાંધવામાં આવતા નથી. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો આંકડો હજુ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયો નથી. આખી રાત બચાવ કામગીરી ચાલી હતી. કાટમાળમાં ઈજાગ્રસ્તો અને મૃતદેહોની શોધ હજુ ચાલુ છે.

સિયાંજુરના વહીવટી વડા હરમન સુહેરમાને જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકો કાટમાળ પડવાને કારણે ઘાયલ થયા છે. નજીકમાં એક ગામ છે, જ્યાંથી એમ્બ્યુલન્સમાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ ગામમાં ઘણા એવા પરિવારો હતા, જેમને દૂર કરવામાં આવ્યા ન હતા. ઘણા ઘાયલોને હોસ્પિટલની બહાર કાર પાર્કિંગમાં અને રસ્તાઓ પર ચાલતા સારવાર આપવામાં આવી રહી છે. ભૂકંપ બાદ હોસ્પિટલોમાં કેટલાક કલાકો સુધી વીજળી ન હતી. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં 3 દિવસનો સમય લાગશે. રેસ્ક્યૂ અભિયાન હજી ચાલુ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow