વારંવાર રિજેક્શન બાદ આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનાવ્યું પોતાનું અલગ સ્થાન, આજે ઓળખાય છે આ નામથી

વારંવાર રિજેક્શન બાદ આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનાવ્યું પોતાનું અલગ સ્થાન, આજે ઓળખાય છે આ નામથી

હેમામાલિનીએ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જગ્યા બનાવી

60 અને 70ના દાયકાની ટોપ અભિનેત્રી જેની બોલબાલા 80 અને 90ના દાયકામાં ખૂબ રહી અને આજે પણ છે. અમે વાત કરી રહ્યાં છે બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીની. જેણે પોતાની કારકિર્દીમાં ઘણા યાદગાર અને દમદાર રોલ નિભાવીને પોતાની અલગ જગ્યા ઈન્ડસ્ટ્રીમાં બનાવી છે. પરંતુ શુ તમે જાણો છો કે કારકિર્દીના શરૂઆતના સમયમાં અભિનેત્રીને ખૂબ રિજેક્શન મળ્યા હતા અને સંઘર્ષનો આ સમય 4 વર્ષ સુધી આમ જ ચાલતો રહ્યો હતો. આખરે તેમને એક તક મળી તો તેમણે પોતાના હાથમાંથી તેને જવા ના દીધી.

આ કારણથી કરાતુ હતુ રિજેક્શન

કહેવામાં આવે છે કે જ્યારે હેમામાલિની ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તે ખૂબ પાતળી હતી અને તેના કારણે તેમને ફિલ્મોમાંથી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. નિર્માતા તેમને મળ્યાં બાદ ના પાડતા હતા. પરંતુ માત્ર આ કારણ ન હતુ. પરંતુ તેમને કહેવામાં આવતુ હતુ કે તેમનુ નામ પણ લોકોને પસંદ નહોતુ આવતુ તેઓ હેમા નામ સાંભળતા તો તેમને રિજેક્ટ કરી દેતા હતા. આ ક્રમ 4 વર્ષ સુધી ચાલ્યો અને ચાર વર્ષ સુધી તેઓ માત્ર નાના-મોટા રોલ કરતા રહ્યાં તે પણ સાઉથ સિનેમામાં.

રાજકપૂરની સાથેની પહેલી ફિલ્મ

આખરે તેમને એ તક મળી ગઇ જેની તેઓ રાહ જોતા હતા. 1968માં તેઓ રાજ કપૂરની સાથે સપનોના સૌદાગર ફિલ્મમાં દેખાઈ. જેમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યાં. બસ પછી શુ વાત હતી હેમામાલિનીના ભાગ્યએ પલટી મારી અને તેઓ જોતજોતામાં હિટ થયા અને તેમને જોતજોતામાં હિટ ફિલ્મો મળવા લાગી. સીતા અને ગીતા, લાલ પત્થર, અંદાજ, પ્રતિજ્ઞા અને શોલે જેવી કેટલી હિટ ફિલ્મોમાં હેમામાલિનીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow