ચન્દ્ર, મંગળ અને સૂર્ય પછી હવે ભારત શુક્ર પર

ચન્દ્ર, મંગળ અને સૂર્ય પછી હવે ભારત શુક્ર પર

ચન્દ્રયાન-3, મંગળયાન, સૂર્યયાન (આદિત્ય)ની સફળતા પછી ભારતે હવે શુક્રયાનની તૈયારી આદરી છે. ઈસરોના ચેરમેન એસ.સોમનાથે કહ્યું હતું કે શુક્રનું વાતાવરણ ધરતીના વાતાવરણ કરતાં 100 ગણુ વધારે દબાણ ધરાવે છે, તેનો અભ્યાસ જરુરી છે. કેમ કે હજારો વર્ષ પછી ધરતીની સ્થિતિ પણ શુક્ર જેવી થઈ શકે છે. ચન્દ્ર પર વાતાવરણ નથી, મંગળના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધારે છે, જ્યારે શુક્ર એવો ગ્રહ છે જેને વાતાવરણનો થર છે.

ઈસરોના કહેવા મુજબ 2024મા આ મિશન લોન્ચ કરી શકાય છે. જો એ તક ચૂકી જવાય તો પછી 2031માં વારો આવી શકે. જોકે વચ્ચે 2026-28 વચ્ચે પણ લોન્ચિંગની તક છે. ઈસરોને 2012માં જ શુક્રયાન માટે મંજૂરી મળી હતી જ્યારે 2017માં ફન્ડ આપવાની શરુઆત થઈ હતી. શુક્રયાન એ જોકે લોકોની સરળતા માટે અપાયેલું નામ છે, તેનું વૈજ્ઞાનિક નામ તો વિનસ ઓર્બિટર મિશન છે. શુક્ર નજીક હોય ત્યારે અંતર 6.1 કરોડ કિલોમીટર હોય છે, પરંતુ ત્યાં જતા યાને પૃથ્વી ફરતે ચક્કર મારવાના થાય એટલે સફર ઘણી લાંબી ચાલશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow