દેશમાં કોવિડ બાદ ઘરેલુ બચત 45% ઘટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 151 ટકા વધ્યું

દેશમાં કોવિડ બાદ ઘરેલુ બચત 45% ઘટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 151 ટકા વધ્યું

દેશની જીડીપીમાં ઘરેલુ બચતનો હિસ્સો 2021-22માં ઘટીને 10.8% થયો છે. વર્ષ 2020-21માં આ હિસ્સો 16% હતો. બેન્ક ઑફ બરોડાએ RBIના ડેટાના હવાલાથી પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. તે અનુસાર કોવિડ-19 પહેલા એટલે કે વર્ષ 2019-20માં ઘરેલુ બચતનો જીડીપીમાં હિસ્સો 12% હતો. વર્ષ 2021-22માં RBIએ રેપોરેટમાં સતત વધારો કર્યો હતો. લોકોએ વધુ રિટર્નની આશાએ શેરમાર્કેટ અને રોકાણ માટેના અન્ય સાધનોમાં રોકાણ કર્યું.

બેન્કોએ પોતાની ડિપોઝિટ બેઝ બચાવી રાખવા માટે વધુ પડકારનો સામનો કરવો પડ્યો હતો. તે એક વર્ષમાં બેન્કોની કુલ ડિપોઝિટ બેઝ 12.59 લાખ કરોડ રૂપિયાથી 44.8% ઘટી 6.95 લાખ કરોડ થઇ હતી. દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 150% વધ્યું હતું. વર્ષ 2020-21માં તે 64,084 કરોડ રૂ. હતું. તે વર્ષ 2021-22માં વધીને 1,60,600 કરોડ થયું હતું. શેરમાર્કેટમાં પણ રોકાણ વધ્યું છે. જો કે આ વધારો માત્ર 26.3% સુધી મર્યાદિત રહ્યો હતો. બેન્ક ડિપોઝિટમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં નાની બચત યોજનાઓમાં જમા રકમમાં 21%નો વધારો થયો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow