અદાણી ગ્રુપ હવે રેલવે ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી!

અદાણી ગ્રુપ હવે રેલવે ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી!

અદાણી ગ્રુપ હવે રેલવે ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝીસે શુક્રવારે (16 જૂન) સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (SEPL)માં 100% હિસ્સો હસ્તગત કરશે.

અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી, 'અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (ADL) એ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનના સંબંધમાં શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કર્યા છે.' જો કે બંને કંપનીઓ વચ્ચે આ ડીલ કેટલામાં થઈ છે તેની માહિતી હજુ સુધી મળી નથી.

અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ એ અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની છે.

સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ જેને 'ટ્રેનમેન' તરીકે પણ ઓળખવામાં આવે છે
સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડને 'ટ્રેનમેન' તરીકે પણ ઓળખવામાં આવે છે. IIT-રુરકી સ્નાતક વિનીત ચિરાનિયા અને કરણ કુમાર ટ્રેનમેનના સ્થાપક છે. તે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા અધિકૃત ટ્રેન ટિકિટ બુકિંગ સ્ટાર્ટ-અપ છે.

આ ઓલ-ઇન-વન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરવા ઉપરાંત, તમે PNR સ્ટેટસ, કોચની સ્થિતિ, લાઇવ ટ્રેનની સ્થિતિ અને સીટની ઉપલબ્ધતા જેવી માહિતી પણ મેળવી શકો છો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow