અભિનેત્રી નીના ગુપ્તા 'વધ'માં જોવા મળશે, ઈન્ટરવ્યુમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રી અંગે ખુલીને કરી વાત

અભિનેત્રી નીના ગુપ્તા 'વધ'માં જોવા મળશે, ઈન્ટરવ્યુમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રી અંગે ખુલીને કરી વાત

નીના ફરી એક વખત ચેલેન્જિંગ રોલમાં જોવા મળશે

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાંથી છે, જે પોતાની વાતોને નિષ્પક્ષ રીતે બધાની સામે મુકે છે. અચકાયા વગર અને ફિલ્ટર વગર નીના બેબાકપણે પોતાના મંતવ્ય મુકવા માટે ઓળખાય છે. કદાચ લોકો તેમને પસંદ કરતા નથી આ પણ એક મોટુ કારણ છે. હાલમાં નીના પોતાની અપકમિંગ ફિલ્મ વધના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં એક વખત ફરીથી તે ચેલેન્જિંગ રોલમાં જોવા મળશે. નીનાની ફિલ્મની તેના પ્રશંસકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

નમ્રતાથી ચાલશો તો બોલીવુડમાં નહીં ચાલે

નીના ગુપ્તાએ એક ઈન્ટરવ્યુમાં ઈન્ડસ્ટ્રીને લઇને ખુલીને વાત કરી અને જણાવ્યું કે આખરે બોલીવુડમાં સર્વાઈવ કરવા માટે કોઈ પણ કલાકાર માટે સૌથી મહત્વનું શુ છે. અભિનેત્રીનુ માનવુ છે કે નમ્રતાથી ચાલશો તો બોલીવુડમાં ચાલશો નહીં. તેમણે જણાવ્યું કે કેવીરીતે તેમના એક મિત્રએ પોતાની જ ફિલ્મમાં તેમને કામ આપવાની ના પાડી દીધી અને કોઈ બીજાને કાસ્ટ કરી લીધો.

ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

આ અંગે વાત કરતા નીના ગુપ્તાએ કહ્યું, મારો એક સારો મિત્ર ફિલ્મ બનાવી રહ્યો હતો. મને ખબર પડી કે તે લંડનમાં શુટિંગ કરી રહ્યો છે. તેની સાથે મેં લેડીજ સ્પેશિયલ કરી હતી. જ્યારે મને ખબર પડી કે તેમાં એક રોલ છે, જે મારી ઉંમરની મહિલાનો છે. તો મેં તેની સાથે વાત કરી. આ રોલ માટે તેમણે બીજા કોઈને લઇ લીધા હતા. જ્યારે મેં તેમને ફોન કર્યો અને પૂછ્યુ કે તમે મને ના લીધી? તેણે ફિલ્મની શુટિંગ શરૂ કરી દીધી હતી. જવાબમાં તેણે કહ્યું, મને યાદ આવ્યું નહીં. એટલેકે એવુ પણ થાય છે કે ધ્યાન હોતુ નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow