અભિનેત્રી અથિયા શેટ્ટી-ક્રિકેટર રાહુલના લગ્નનો મહિનો નક્કી, વેડિંગ ડ્રેસથી લઇને વેન્યુ સુધીની તૈયારીઓ શરૂ

અભિનેત્રી અથિયા શેટ્ટી-ક્રિકેટર રાહુલના લગ્નનો મહિનો નક્કી, વેડિંગ ડ્રેસથી લઇને વેન્યુ સુધીની તૈયારીઓ શરૂ

અથિયા અને રાહુલના લગ્ન આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે

દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન અત્યારે ખૂબ ચર્ચામાં છે. છેલ્લાં ઘણા સમયથી તેમના લગ્નના અહેવાલો સામે આવી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી લગ્નની તારીખોને લઇને બંને પરિવારોમાંથી કોઈએ પણ નિવેદન આપ્યું નથી. આ દરમ્યાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અથિયા અને રાહુલના લગ્ન આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે.

વેડિંગ વેન્યુ અને વેડિંગ ડ્રેસને લઇને અપાઈ જાણકારી: રિપોર્ટમાં દાવો

પિન્કવિલાએ પોતાના રિપોર્ટમાં વેડિંગ વેન્યુ અને વેડિંગ ડ્રેસને લઇને પણ જાણકારી આપી છે. લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેએલ રાહુલ અને અથિયા સુનીલ શેટ્ટીના લગ્ન ખંડાલા વાળા બંગલામાં થશે. જેના માટે ત્યાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એક ઈવેન્ટ દરમ્યાન સુનીલ શેટ્ટીએ જાતે અથિયાના લગ્નના અહેવાલો પર મ્હોર લગાવી હતી. તેમણે લગ્નના સવાલ પર કહ્યું હતુ કે જલ્દી થશે.

આવતા વર્ષની શરૂઆતમાં થશે લગ્ન

કેએલ રાહુલના એક નજીકના હવાલા દ્વારા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એકબીજા સાથે લગ્ન કરશે. સોર્સે કહ્યું કે બંને સેલિબ્રિટીઓ હાલમાં ખંડાલાના બંગલા પર પણ ગયા હતા.

જો કે, તારીખ શુ હશે તેને લઇને હજી કોઈ જાણકારી સામે આવી નથી. અથિયા અને રાહુલ પરંપરાગત રીતે લગ્ન કરશે. બંનેએ વેડિંગ ડ્રેસ પણ ફાઈનલ કરી દીધો છે. અથિયાએ પોતાના લગ્ન માટે કોઈ ફાઈવ સ્ટાર હોટલ, મોટા પેલેસ અથવા વિદેશી જમીનને નહીં, પરંતુ તેના પિતાના બંગલાને પસંદ કર્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow