દાહોદમાં 8 વર્ષીય બાળકીના મૃત્યુ મામલે સ્કૂલના આચાર્ય વિરૂદ્ધ લેવાયાં એક્શન, જુઓ શું કાર્યવાહી હાથ ધરાઇ

દાહોદમાં 8 વર્ષીય બાળકીના મૃત્યુ મામલે સ્કૂલના આચાર્ય વિરૂદ્ધ લેવાયાં એક્શન, જુઓ શું કાર્યવાહી હાથ ધરાઇ

દાહોદમાં બાળકીના મૃત્યુ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. રામપુરા શાળાના આચાર્યને કરવામાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. શાળાનો દરવાજો પડતા 8 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું છે. 8 વર્ષીય બાળકી પર શાળાનો દરવાજો પર પડી જતા મોત થયું છે.

શાળાનો દરવાજો બાળકી પર પડતા મોત‌‌

દાહોદમાં ગંભીર ભેદરકારીના કારણે એક બાળકીનું મોત થયું છે. રામુપરા પ્રાથમિક શાળામાં 8 વર્ષીય બાળકી પર દરવાજો પડી જતા મોત થયું છે. બાળકી પર શાળાનો દરવાજો તૂટી પડ્યો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે.

DEPO દાહોદ મયુર પારેખનું નિવેદન

‌‌DEPO દાહોદ મયુર પારેખનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રામપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતી દીકરી પર શાળોનો કમ્પાઉંડ વોર્ડ સાથેનો દરવાજો બાળકીના મોઢાના ભાગે પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમણે જણાવ્યું કે, તે બાળકીને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખસેડવામાં આવી હતી જ્યારે બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યું થયેલું છે.

રામપુરા શાળાના આચાર્યને કરવામાં આવ્યા સસ્પેન્ડ

‌‌તેમણે જણાવ્યું કે, જવાબદારીના ભાગ રૂપે શાળાના બાળકોની સાવચેતી રાખવાની જવાબદારી શાળાના આચાર્યની હોય છે જેથી તપાસના ભાગ રૂપે તેમને ફરજમોફૂક કર દીધા છે. તેમણે જણાવ્યું કે, અમે દરેક વર્ષે દરેક શાળાઓને સાવચેતી અને સેફ્ટી માટે પરિપત્રો પણ કરતા હોઈ છીએ તેમજ અમારી તપાસમાં શાળાનો દરવાજો વેલ્ડિંગમાંથી તૂટ્યો છે તેવું જાણવા મળ્યું છે જેથી સેફ્ટીનો અભાવ હોય તેવું પત્યક્ષ કહી શકાય.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow