સરકાર વિરોધી ધરણાને ફંડિગ આપવાનો આરોપ, 2022માં શાંતિ પુરસ્કાર જીત્યો હતો

સરકાર વિરોધી ધરણાને ફંડિગ આપવાનો આરોપ, 2022માં શાંતિ પુરસ્કાર જીત્યો હતો

બેલારુસની એક કોર્ટે શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બિયાલિઆત્સ્કીને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. તેમના સિવાય ત્રણ અન્ય લોકોને પણ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે ફંડ આપવા બદલ સજા કરવામાં આવી છે.

2020માં પ્રદર્શનો બાદ સરકારે ચારેયની ધરપકડ કરી હતી. તેઓ બેલારુસના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાંડર લુકાશેન્કોની ચૂંટણી સામે વિરોધ કરી રહ્યા હતા. લુકાશેન્કો 1994થી રાષ્ટ્રપતિ છે. તેમના પર આરોપો છે કે તેઓ ગેરકાયદેસર માધ્યમો દ્વારા વિપક્ષને નબળા બનાવીને વારંવાર સત્તામાં આવે છે.

ગયા વર્ષે 2022માં, નોબેલ સમિતિએ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કર્યો હતો. સમિતિએ કહ્યું કે બેલારુસની સરકારે તેમના વિરોધને દબાવવા માટે વર્ષો સુધી પ્રયાસ કર્યા, તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું, તેમની નોકરી પણ છીનવી લેવામાં આવી.

દેશની બહાર રહેતા વિપક્ષના નેતા સ્વેત્લાનાએ એલેસને મળેલી સજાને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે એલેસને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow