આવતા વર્ષથી ન્યૂયોર્ક સિટીમાં શાળાઓમાં દિવાળીની જાહેર રજાની શરૂઆત થશે

આવતા વર્ષથી ન્યૂયોર્ક સિટીમાં શાળાઓમાં દિવાળીની જાહેર રજાની શરૂઆત થશે

"પ્રકાશનો ઉત્સવ" તરીકે ઓળખાતા હિંદુ ઉત્સવ દિવાળી માટે, આવતા વર્ષથી ન્યૂયોર્ક સિટીમાં શાળાઓમાં જાહેર રજાની શરૂઆત થશે.

મેયર એરિક એડમ્સે રાજ્યની એસેમ્બલી વુમન જેનિફર રાજકુમાર અને ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશન ચાન્સેલર ડેવિડ બેંક્સની સાથે ગુરુવારે સવારે એક પત્રકાર પરિષદમાં જાહેર શાળાના સમયપત્રકમાં દિવાળીની રજાનો સમાવેશ કરવાની યોજનાની જાહેરાત કરી હતી.

દિવાળીના તહેવારની એનિવર્સરી ડે સાથે અદલાબદલી

પબ્લિક સ્કૂલ કેલેન્ડરમાં દિવાળીના સમાવેશ માટે ધારાસભ્યોએ એનિવર્સરી ડેની અદલાબદલી કરી, જે પરંપરાગત રીતે જૂનના પ્રથમ ગુરુવારે ઉજવવામાં આવે છે. દિવાળી એક મુખ્ય હિંદુ તહેવાર છે પરંતુ કેટલાક બૌદ્ધ, શીખ અને જૈનો દ્વારા પણ ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારોની તારીખમાં વધઘટ થાય છે. આ વર્ષે પાંચ દિવસની રજા 24 ઓક્ટોબરથી શરૂ થશે.

દિવાળીને માન્યતા આપવા માટે કાયદો રજૂ કરનાર રાજકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી કરનારા હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મના 200,000થી વધુ ન્યૂયોર્કવાસીઓને ઓળખવાનો સમય આવી ગયો છે." તેણીએ દિવાળીની સરખામણીમાં એનિવર્સરી ડેને "એક અસ્પષ્ટ અને પ્રાચીન દિવસ" ગણાવ્યો, જે "ન્યૂયોર્કવાસીઓની વધતી જતી સંખ્યા" દ્વારા ઉજવવામાં આવે છે.

સ્કૂલ કેલેન્ડરમાં દિવાળીના તહેવારનો થશે સમાવેશ

"લોકોએ જ્યારે કહ્યું હતું કે ન્યૂયોર્ક સિટીના શાળા કેલેન્ડરમાં દિવાળીની શાળાની રજા માટે પૂરતી જગ્યા જ નથી," ત્યારે એસેમ્બલી વુમને કહ્યું. "સારું, મારો કાયદો જગ્યા બનાવે છે." નવા શાળા સમયપત્રકમાં હજુ પણ 180 શાળા દિવસો રહેશે, જે રાજ્યના શિક્ષણ કાયદા દ્વારા જરૂરી છે, રાજકુમારે ઉમેર્યું. એસેમ્બલી વુમને એડમ્સના શાકાહાર અને ધ્યાનની પ્રેક્ટિસને કારણે તેમને "હિંદુ મેયર" તરીકે પણ સંબોધ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન, એડમ્સે આ નિર્ણયને હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયોની લાંબા સમયની માગણીનો સ્વીકાર ગણાવી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow