આજે સાંજે દીપદાન અને મંગળવારે સવારે 8 વાગ્યા પહેલાં સ્નાન-દાન કરવાથી અક્ષય પુણ્ય મળશે

આજે સાંજે દીપદાન અને મંગળવારે સવારે 8 વાગ્યા પહેલાં સ્નાન-દાન કરવાથી અક્ષય પુણ્ય મળશે

રતક પૂનમ બે દિવસ રહેશે:આજે સાંજે દીપદાન અને મંગળવારે સવારે 8 વાગ્યા પહેલાં સ્નાન-દાન કરવાથી અક્ષય પુણ્ય મળશે

એક કલાક પહેલા

કારતક મહિનાનો છેલ્લો દિવસ 8 નવેમ્બરના રોજ છે. આ દિવસે પૂનમ તિથિ રહેશે. કારતક પૂર્ણિમાએ તીર્થ સ્નાન, વ્રત, ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા અને દીપદાન કરવાની પરંપરા છે. પરંતુ આ દિવસે ચંદ્રગ્રહણ રહેશે. એટલે દીપદાન 7 નવેમ્બરે સાંજે કરવામાં આવવું જોઈએ. મંગળવારે સવારે સાડા 8 વાગ્યા પહેલાં તીર્થ સ્નાન કરવું જોઈએ. ત્યાં જ, આખો દિવસ વ્રત રાખીને સાંજે ગ્રહણ પૂર્ણ થયા પછી પૂજા કરવી જોઈએ.

કારતક મહિનાની પૂનમ તિથિએ કરવામાં આવતા સ્નાન અને દાનથી અખૂટ પુણ્ય મળે છે. વ્રત, પૂજા-પાઠ અને દીપદાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થાય છે. પુરાણોમાં પણ આ દિવસને પુણ્ય આપનાર પર્વ કહેવામાં આવે છે.

7મીએ સાંજે અને 8મીએ ગ્રહણ પૂર્ણ થયા પછી દીપદાન કરવું
કારતક પૂનમ 7 નવેમ્બરે એટલે આજે સાંજે લગભગ સાડા 4 વાગ્યાથી શરૂ થઈ જશે. એટલે ગોધુલિ વેળામાં આ દિવસે દીપદાન કરવાથી પુણ્ય મળશે. ત્યાં જ, બીજા દિવસે ચંદ્રગ્રહણ સાંજે લગભગ સાડા 6 વાગે પૂર્ણ થશે. જેથી ગ્રહણ પૂર્ણ થયા પછી પણ દીપદાન કરી શકાય છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પુરાણોમાં કારતક મહિનાના છેલ્લાં દિવસે દીપદાનનું ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. મહાપુણ્ય અને મોક્ષ આપનાર કારતક મહિનાના મુખ્ય નિયમોમાં સૌથી મુખ્ય દીપદાન જ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow