સુરતથી 1 કરોડના રફ હીરા પહોંચાડવા આફિક્રા જતો યુવક ઝડપાયો

સુરતથી 1 કરોડના રફ હીરા પહોંચાડવા આફિક્રા જતો યુવક ઝડપાયો

સુરત એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલિંગની ભરમાર વચ્ચે શારજાહ જતી ફ્લાઇટમાં બેસવા જતા અગાઉ વરાછા ખાતે રહેતા યુવાનને એક કરોડના રફ હીરા સાથે કસ્ટમ વિભાગે ઝડપી પાડયો હતો. આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરાતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. રફ હીરા સુરતથી વાયા દુબઇ આફિક્રા મોકલવાના હતા. દુબઇમાં આરોપીને અન્ય એક કેરિયર મળનાર હતો, જેને હીરા આપી દેવાની જવાબદારી આ આરોપીની હતી. આજે સરકાર તરફે કસ્ટમ-ડીઆરઆઇ-જીએસટી કેસોના સ્પેશિયલ પી.પી. ઇમરાન મલેક હાજર રહ્યા હતા.

કેસની વિગત મુજબ બુધરવારે જતી શારજાહ ફ્લાઇટ આવે એ અગાઉ અધિકારીઓ ચેકિંગમાં ગોઠવાઇ ગયા હતા અને જે મુસાફરો સુરતથી શારજાહ જઇ રહ્યા હતા તેની ચેકિંગ ચાલુ હતી ત્યારે કતારગામની કલાપી સોસાયટીમાં રહેતો 32 વર્ષીય જીગ્નેશ મોરડીયા પોતાની ટ્રોલી અને એક બેગ સાથે આવ્યો હતો.

સામાન એકસ-રે મશીનમાં નાખતા જ તેમાં કોઈ મેટલ હોવાનુુ સિગ્નલ આવ્યુ હતુ એટલે તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ટ્રોલીના પકડવાના હેન્ડલમાં છેક નીચેની બાજુએ મૂકેલા 4910 કેરેટના રફ હીરા કે જેની બજાર કિંમત 1.10 કરોડ જેટલી હતી તે મળી આવ્યા હતા. આરોપીની આકરી પુછપરછ કરતા તેણે કસ્ટમ અધિકારીઓ સમક્ષ સમગ્ર વિગતો આપી દીધી હતી. આરોપી અગાઉ હીરા ઘસવાનું કામ કરતો હતો અને હાલમા તે કામ શોધી રહ્યો હતો.

સુરતથી રફ હીરાનું વિદેશમાં સ્મગલિંગ કઈ રીતે?
સામાન્ય રીતે રફ હીરા મંગાવવામાં સુરત અગ્રેસર છે, જેને પોલિશ કરીને વિદેશોમાં મોકલાય આવે છે. જો કે, આ કેસમાં રફ હીરા સુરતથી દુબઇ અને ત્યાંથી હિતેશ જીંજાવદર નામના ઇસમને આપી તેને આફિક્રા પહોંચાડવાનો ખેલ નીકળતાં અધિકારીઓ પણ ચકરાવે ચઢ્યા છે. રફ હીરા જ શા માટે લઇ જવાયા એ મુદ્દે તપાસ શરૂ કરી છે. ઉપરાંત આ હીરા સુરતના કયા ઉદ્યોગકારના છે તેની પણ તપાસ શરૂ કરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow