પોલેન્ડનો યુવાન સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપી વિદ્વાનોને ભારત દેશની યાત્રાએ લાવે છે

પોલેન્ડનો યુવાન સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપી વિદ્વાનોને ભારત દેશની યાત્રાએ લાવે છે

નામ એનું ફિલીપ રૂચિન્સ્કી, પણ પોતાને શિવાનંદ નામથી ઓળખાવવાનું વધુ ગમે છે. પોલેન્ડનો આ 46 વર્ષિય યુવાન સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિ.માં રીસર્ચ ફેલો રહ્યો છે. તો બનારસ હિન્દુ યુનિ.માં પોલીશ ભાષાનો ગેસ્ટ લેક્ચરર પણ રહ્યો. તેણે સૌપ્રથમ પોલેન્ડની વોર્સો યુનિ.માં ઓરિએન્ટલ સ્ટડીઝમાં પીએચડી પણ કર્યું છે. શિવાનંદને એક અનોખો શોખ વળગ્યો છે. ભારતીય સંસ્કૃતિ, યોગ દર્શન, સંસ્કૃત, કલા, વગેરેનો પ્રસાર-પ્રચાર કરવાનો. આ માટે તે પોલેન્ડમાં અવારનવાર કાર્યશિબિર, વર્કશોપ વગેરે પણ યોજે છે. જે હાલ પોલીશ વિદ્વાનોના ગૃપ સાથે જૂનાગઢની મુલાકાતે છે.

જૂનાગઢ ખાતે શિવાનંદે જણાવ્યું કે, પોતે ત્યાંના રીસર્ચ ફેલો, પ્રોફેસરો, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા એવા લોકો સાથે અવારનવાર ભારતની યાત્રાનું આયોજન કરે છે જેમને ભારતીય સંસ્કૃતિ, કલા, સાહિત્ય, યોગ, ઇત્યાદિમાં રૂચિ હોય. સાથે તેઓનું નૈતિક જીવનધોરણ અને મૂલ્યો ઉચ્ચ કક્ષાનાં હોય. જેઓ મોજમજા માટે નહીં, કાંઇક મેળવવા-શીખવા અહીં આવતા હોય. તો ઘણીવાર અહીંની પ્રતિભાઓને પણ ત્યાં લેક્ચર, યોગના વર્કશોપ સહિતના કાર્યક્રમો માટે બોલાવે છે. તેમની સાથે કાશીનાં મહેન્દ્રનાથ ત્રિપાઠી સહિતના ભારતીયો પણ ગાઇડ તરીકે જોડાયા છે. જૂનાગઢમાં તેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઇતિહાસ વિભાગનાં વડા પ્રો. ડો. વિશાલ જોષી સાથે વિવિધ સ્થળોની મુલાકાતે ગયા હતા. જેમાં તેઓને ગિરનાર, ભવનાથનો મેળો, મ્યૂઝિયમ, સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. હાલ તેઓનાં ગૃપે જવાહર રોડ સ્થિત સ્વામી મંદિરમાં મુકામ કર્યો છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow