સાસરિયાઓ સાથે સમાધાન માટે ગયેલી પરિણીતાને માર માર્યો

સાસરિયાઓ સાથે સમાધાન માટે ગયેલી પરિણીતાને માર માર્યો

શહેરના કોઠારિયા રોડ, દેવપરા શાકમાર્કેટ પાસે રહેતી રતન અજય ચારોલિયા નામની પરિણીતાને ડેરોઇ ગામે રહેતા પતિ અજય, સસરા દિનેશભાઇ તળશીભાઇ ચારોલિયા, સાસુ માવુબેન અને મામાજી કાળુભાઇ તળશીભાઇ સાડમીયાએ પાઇપથી હુમલો કરી માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.

ઇજાગ્રસ્ત પરિણીતાની પૂછપરછમાં તેને બે સંતાન છે. ડેરોઇ ગામે રહેતા પતિ અજય કંઇ કામધંધો કરતા ન હોય બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હોય પોતે સાત મહિના પૂર્વે રાજકોટ સંતાનોને લઇ માવતરે આવી ગઇ હતી. દરમિયાન રવિવારે સાસરિયાઓ સાથે સમાધાન માટે ડેરોઇ ગામે બંનેના પરિવારજનો ભેગા થયા હતા. આ સમયે બોલાચાલી થતા સાસુ-સસરા, પતિ અને મામાજીએ ઉશ્કેરાય જઇને પાઇપનો ઘા માથામાં ફટકારી માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow