બ્રિટનમાં વધતી મોંઘવારી બાદ કાર્ડને બદલે રોકડથી ચુકવણીનો ટ્રેન્ડ

બ્રિટનમાં વધતી મોંઘવારી બાદ કાર્ડને બદલે રોકડથી ચુકવણીનો ટ્રેન્ડ

એક તરફ દુનિયા કેશલેસ થઇ રહી છે તો બીજી તરફ બ્રિટનના લોકો કેશ પેમેન્ટ તરફ વળી રહ્યા છે. વધતી મોંઘવારીમાં ખર્ચ પર લગામ કસવા માટે તેઓ આ ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. તેમના મતે ઑનલાઇન પેમેન્ટ કરવાથી ખર્ચનો અહેસાસ થતો નથી અને જરૂર કરતાં વધુ ખર્ચ થાય છે, જ્યારે રોકડ આપતા સમયે પૈસા ઓછા થઇ રહ્યા હોવાનો અહેસાસ થાય છે.

આપણે જે રીતે ક્રેડિટ કાર્ડથી આપણી ચૂકવણીની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરીએ છીએ એવી જ આ વસ્તુ પણ છે. પછી ક્રેડિટ કાર્ડની જાળમાં ફસાઇ જઇએ છીએ. બ્રિટનની પોસ્ટ ઓફિસે ઓગસ્ટ મહિનામાં જ અંદાજે 9 હજાર કરોડ રૂપિયાની રોકડથી લેણ-દેણ કરી હતી, જે અત્યારસુધી એક મહિનામાં સર્વાધિક છે. પોસ્ટ ઓફિસ અનુસાર આગામી દિવસોમાં લોકો પોતાના ખર્ચ પર અંકુશ રાખવા માટે રોકડનો વપરાશ વધારશે. કૉર્નેગી યુનિવર્સિટીના ઓફેર જેલરમેયરે પોતાના થીસિસમાં ‘પેન ઑફ પેઇંગની’નો ખ્યાલ આપ્યો. કેટલીક વસ્તુ માટે ચૂકવણી કરતી વખતે મજા આવે છે તો ક્યારેક નારાજગી પણ રહે છે. તેને જ પેન ઑફ પેઇંગ કહે છે. તેઓ કહે છે કે કેશ પેમેન્ટથી આપણે પેન ઑફ પેઇંગમાંથી પસાર થઇએ છીએ. જે આપણને બિનજરૂરી ખર્ચથી બચાવે છે.

સોશિયલ મીડિયા પર કેશ સ્ટફિંગના પ્રકારો ટ્રેન્ડ કરી રહ્યાં છે. પર્સનલ ફાઇનાન્સ પ્લેટફોર્મ ક્રેડેલોના સરવે અનુસાર અડધાથી વધુ યુવાઓ રોકડથી લેણદેણ કરી રહ્યાં છે. જેલરમેયરની થિયરી પર બીજા સંશોધકોએ ‘પેન ઑન મોબાઇલ પેમેન્ટ્સ’ પર સંશોધન કર્યું છે.

તેઓએ જણાવ્યું કે મોબાઇલ પેમેન્ટથી સૌથી ઓછુ દુખ થાય છે. એટલે કે મોબાઇલથી પેમેન્ટ કરવા પર પૈસા ખર્ચ થવાનો સૌથી ઓછો અહેસાસ થાય છે. જ્યારે કાર્ડથી ચૂકવણી કરવાથી તેનાથી વધુ પરંતુ રોકડથી ચૂકવણી કરવાથી મનમાં કંઇક ગુમાવ્યું હોવાની ભાવના થાય છે. તેનાથી ખર્ચ નિયંત્રણમાં રહે છે. જ્યારે પે લેટર જેવી સ્કીમથી ખર્ચ અને ચૂકવણીની ક્ષમતાનો પણ અહેસાસ થતો નથી. જે વધુ દ્વિધામાં મૂકે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow