સમી હાઈવે પર પૂરપાટે જતું ટ્રેલર પંચરની દુકાનમાં ઘૂસી ગયું

સમી હાઈવે પર પૂરપાટે જતું ટ્રેલર પંચરની દુકાનમાં ઘૂસી ગયું

પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પૂરઝડપે અને ગફલત ભરી રીતે વાહનો લઈને નીકળતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતમાં બનાવો સર્જાતા હોય છે ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે પાટણ જિલ્લાના સમી હાઈવે માર્ગ પર થી પસાર થતા ટ્રેલર ચાલકે અગમ્ય કારણોસર ટ્રેલર ટાયર પંચરની દુકાન ધૂસાડી દેતાં ટ્રેલર ચાલક ને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો ટ્રેલર નાં કેબીન પાછળ આરામ કરતાં એક ઈસમનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સમી હાઈવે માર્ગ પરથી શુક્રવારની વહેલી સવારે પસાર થઈ રહેલ એક ટ્રેલર ચાલકે અગમ્ય કારણોસર પોતાનું ટ્રેલર હાઈવે માર્ગ પર આવેલ અનંત પેટ્રોલિયમ પમ્પ પાસે ની ટાયર પંક્ચર ની દુકાન મા ઘૂસાડી દેતા અફડા તફડી મચી જવા પામી હતી આ અકસ્માત સર્જાયો હોવાની જાણ સમી 108 એમ્બ્યુલન્સ ટીમના ઈએમટી મહેશ ઠાકોર અને પાયલોટ સન્ની પરમાર ને થતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી લોકલ માણસોની મદદ થી ટ્રેલર ચાલક બ્રિજેશ યાદવ ને મહામુસીબતે ટ્રેલર માંથી બહાર કાઢ્યો હતો.

તેને માથા અને હાથનાં ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જણાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે ટ્રેલર ની ડ્રાઈવર સીટ ની પાછળ ની સીટ મા આરામ કરી રહેલાં વિકાસ નામના વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow