સમી હાઈવે પર પૂરપાટે જતું ટ્રેલર પંચરની દુકાનમાં ઘૂસી ગયું

સમી હાઈવે પર પૂરપાટે જતું ટ્રેલર પંચરની દુકાનમાં ઘૂસી ગયું

પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પૂરઝડપે અને ગફલત ભરી રીતે વાહનો લઈને નીકળતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતમાં બનાવો સર્જાતા હોય છે ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે પાટણ જિલ્લાના સમી હાઈવે માર્ગ પર થી પસાર થતા ટ્રેલર ચાલકે અગમ્ય કારણોસર ટ્રેલર ટાયર પંચરની દુકાન ધૂસાડી દેતાં ટ્રેલર ચાલક ને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો ટ્રેલર નાં કેબીન પાછળ આરામ કરતાં એક ઈસમનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સમી હાઈવે માર્ગ પરથી શુક્રવારની વહેલી સવારે પસાર થઈ રહેલ એક ટ્રેલર ચાલકે અગમ્ય કારણોસર પોતાનું ટ્રેલર હાઈવે માર્ગ પર આવેલ અનંત પેટ્રોલિયમ પમ્પ પાસે ની ટાયર પંક્ચર ની દુકાન મા ઘૂસાડી દેતા અફડા તફડી મચી જવા પામી હતી આ અકસ્માત સર્જાયો હોવાની જાણ સમી 108 એમ્બ્યુલન્સ ટીમના ઈએમટી મહેશ ઠાકોર અને પાયલોટ સન્ની પરમાર ને થતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી લોકલ માણસોની મદદ થી ટ્રેલર ચાલક બ્રિજેશ યાદવ ને મહામુસીબતે ટ્રેલર માંથી બહાર કાઢ્યો હતો.

તેને માથા અને હાથનાં ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જણાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે ટ્રેલર ની ડ્રાઈવર સીટ ની પાછળ ની સીટ મા આરામ કરી રહેલાં વિકાસ નામના વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow