રાજકોટ જિલ્લામાં સીઝનનું કુલ 2.30 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું

રાજકોટ જિલ્લામાં સીઝનનું કુલ 2.30 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું

રાજકોટ જિલ્લામાં રવિ સીઝનનું અંદાજીત 2.30.013 હેકટરમાં વાવેતર થયાના આંકડા ખેતીવાડી વિભાગએ જાહેર કર્યા છે. જેના માટે પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો જથ્થો પણ ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વર્ષે રવિ સીઝનમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 80591 હેક્ટરમાં ઘઉં અને સૌથી ઓછું 6884 હેક્ટરમાં લસણનું વાવેતર કરવામાં આવ્યું છે.

ઘાસચારાનું વાવેતર કરાયું
ખેતીવાડી વિભાગના આંકડા મુજબ ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં હાલ રવિ સીઝનમાં અંદાજિત 80591 હેકટરમાં ઘઉં, 71695 હેકટરમાં ચણા, 16674 હેકટ૨માં ચણા, 6884 હેકટરમાં લસણ, 10714 હેકટરમાં ડુંગળી તથા 7983 હેક્ટરમાં શાકભાજી અને 9278 હેકટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. રવિ પાકોના થયેલા વાવેતરના પ્રમાણમાં જિલ્લામાં રાસાયણિક ખાતર યુરિયા 15,860 મેટ્રિક ટન, ડી.એ.પી. 4568 મેટ્રિક ટન, એન.પી.કે. 11324 મેટ્રિક ટન, એસ.એસ.પી. 4747 મેટ્રિક ટન ઉપલબ્ધ છે.

રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ
આ રાસાયણિક ખાતરનો જથ્થો જિલ્લાના તાલુકાઓના અને ગામડાઓના રાસાયણિક ખાતરના વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, તાલુકા સંઘ, જુદી-જુદી કંપનીઓના ડેપો પર ઉપલબ્ધ છે. જિલ્લામાં રવિ સીઝનમાં થયેલા વાવેતર સામે પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોય ખેડૂતોને પાકની જરૂરિયાત મુજબ ખાતરની ખરીદી કરવા નાયબ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow